
અમે 'ડાયરાની મોજ'માં જાણીતા લોકકલાકારોની રચનાને પ્રસ્તુત કરીએ છીએ.અમારા આ પ્રયાસના ભાગરૂપે ગુજરાતી સાહિત્યનાં વૈભવી વારસાનો આસ્વાદ ડાયરામાં કરાવીએ છીએ ત્યારે માણીએ બ્રહ્મસેના આયોજિત ડાયરો જેમાં રંગ જમાયો સાંઈરામ દવેએ....
શ્રી સાંઇરામ દવે વિશે:-
સાચું નામ : પ્રશાંત
જન્મ : તા. ૦૭-૦૨-૧૯૭૭
જન્મે : બ્રામ્હણ
જન્મ સ્થળ : જામનગર
બાળપણની ધીંગામસ્તી : જેતપુર તાલુકાના અમરનગરમાં
અક્ષરજ્ઞાન : ડિપ્લોમાં ઈલે. એન્જી. , પીટીસી
પ્રેરણામૂર્તી : પિતાશ્રી પ્રસાદજી (ભજન સમ્રાટ )
"મિત્રો કલાના કદરદાનો અને આપના સહકારથી મારી સફર આજે ૩૫મા વર્ષમાં પ્રવેશી છે. રાજકોટ જીલ્લાના અમરનગર જેવા નાનકડા ગામમાંથી શરુ કરેલી મારી સંગીત યાત્રા થકી આજે આપ જેવા કરોડો ચાહકોની દાદને લીધે હું નાનકડું નામ બનાવી શક્યો છું. ૧૯૮૭મા દુરદર્શન પર બાળ કલાકાર તરીખે શરુઆત્ત કર્યા બાદ ધીમે ધીમે સંગીતની સફર આગળ વધતી ગઈ. જો કે વચ્ચે ટરનીંગ પોઈન્ટ પણ આવ્યા. પણ આ બધાની વચ્ચે આજે હું આપની સમક્ષ છું. આપ સર્વે ના આશીર્વાદ અને ચાહના થકી ૩૮ આલ્બમ અને ૩ પુસ્તકો લખી શક્યો છું. મારી કલાકાર તરીખે ની આ સફર માં મને સતત દાદ -પડકાર થી જીલનારા એ તમામ "કાનસેન" નો હું હ્રદય પૂર્વક આભારી છું."