Wednesday, 22, May, 2013

ઈકો ફ્રેન્ડલી ગણેશનો વિચાર લોકોને આકર્ષી રહ્યો છે

PUBLISHED: 11:09 AM, 10 Sep 2012 | UPDATED: 11:09 AM, 10 Sep 2012
http://vtvgujarati.com/news/ganesh2.jpg
ગણેશોત્સવ નજીક આવી રહ્યો છે, ત્યારે આયોજકો હવે તૈયારીમાં લાગી ગયા છે. આ વર્ષે ઈકો ફ્રેન્ડલી ગણેશનો વિચાર લોકોને આકર્ષી રહ્યો છે. જેને કારણે પ્રાકૃતિક માટીના ગણેશજીની મૂર્તિની માગ વધી છે.

મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ભારે ધામધૂમ અને ભક્તિભાવથી ઉજવાય છે. ગણેશની નાની મૂર્તિઓથી લઈને 30 ફૂટ સુધીની મૂર્તિઓ લોકો પસંદગી મુજબ ખરીદે છે. આમ તો મોટેભાગે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ વધુ બને છે. જો કે તે પ્રદુષણ માટે ખતરારૂપ હોવાથી આ વર્ષે લોકો પ્રાકૃતિક માટીની મૂર્તિનું સ્થાપન કરવા જાગૃત થયા છે. મૂર્તિકોરોનું કહેવું છે, આ વર્ષે માટીના ગણેશજીની મૂર્તિની માગ વધી છે. ગણેશ મહોત્સવમાં માટીની મૂર્તિઓની પરંપરા છે, પરંતુ આ કામમાં બહુ ઓછા કારીગરો જોડાયેલા છે. કેમકે આવી મૂર્તિઓ બનાવવાની પદ્ધતિ લાંબી છે. અને તેનું વેચાણ પણ લિમિટેડ છે.

ઈકો ફ્રેન્ડલી ગણપતિ પાણીમાં તરત જ ઓગળી જાય છે. અને પર્યાવરણને નુકશાનકર્તા નથી. જોકે સરકાર ઘણા સમયથી આવી મૂર્તિઓનો ઉપયોગ કરવા પ્રયાસો કરી રહી છે. ત્યારે હવે બોલીવુડના જાણીતા ચહેરા વિધ્નહર્તાની માટીની મૂર્તિની પૂજા કરી લોકોને પ્રેરણારૂપ બની રહ્યા છે.

Related News

જોગાસ્વામીની 36મી તિથીની  ઉજવણી

જોગાસ્વામીની 36મી તિથીની ઉજવણી

થાન પંથક વિસ્તારમાં અનેક સંતો-મહંતોની યાદમાં થાન શહેરમાં સેવાકિય પ્રવૃતિઓ ધમધમે છે

ચારધામની યાત્રાનો વિધિવત્ પ્રારંભ

ચારધામની યાત્રાનો વિધિવત્ પ્રારંભ

ભકતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહિવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ છે

ભગવાન કે જેઓ ચારે દિશાએ અલગ દેખાય છે

ભગવાન કે જેઓ ચારે દિશાએ અલગ દેખાય છે

આપણો દેશ સંસ્કૃતિ અને ધર્મમાં વિવિધતા ધરાવતો દેશ છે અને જેટલા ધર્મ તેટલા ભગવાન


Photos/Videos