
નરેન્દ્ર મોદીની સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા સમગ્ર રાજ્યમાં ફરી રહી છે..આ યાત્રા ગઈકાલે સુરેદ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાંથી પસાર થઈ હતી.જે દરમિયાન યાત્રા થોડો સમય વીરમગામ-માંડલ હાઈવે ખાતે આવેલા વઘાડા ગામની કર્ણાવતી વિદ્યાલય ખાતે રોકાઈ હતી,જ્યા નરેદ્ર મોદીએ ગ્રામજનો અને વિદ્યાર્થીઓને સંબોધીત કર્યા હતા
મુખ્યમંત્રી નરેદ્ર મોદી અત્યારે સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા અંતર્ગત સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચાર અર્થે ફરી રહ્યા છે.તેમની આ યાત્રા ગઈકાલે સુરેદ્ર નગર જિલ્લાના વીરમગામ-માંડલ હાઈવે પર આવેલા વઘાડા ગામની કર્ણાવતી વિદ્યાલય ખાતે થોડો સમય રોકાઈ હતી...વઘાડા અને આજુબાજુના ગામના અસંખ્ય લોકો તેમજ કર્ણાવતી વિદ્યાલયના સંચાલક સતીશભાઈ મોરીએ નરેન્દ્ર મોદીનું ભાવભીનું સ્વાગત કર્યુ હતુ.પોતાના ટૂંકા રોકાણ દરમિયાન નરેન્દ્ર મોદીએ પોતાની વિશેષ બસની અંદરથી જ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને સંબોધન કર્યુ હતું....
નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કર્ણાવતી વિદ્યાલયના બાળકોને સ્વામી વિવેકાનંદના વિચારોને આત્મસાત કરવાનું આહવાન કર્યુ હતું....સાથે જ તેમણે ત્રણ કલાક પોતાની રાહ જોનારા કર્ણાવતી વિદ્યાલયના બાળકોનો આભાર પણ માન્યો હતો...
મોદીની મુલાકાતના થોડા સમય પહેલા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરૂષોત્તમ રૂપાલા અને યાત્રાના કન્વીનર કૌશિક પટેલ વઘાડા ખાતે આવી પહોંચ્યા હતા..જેમનું ગ્રામજનોની સાથે કર્ણાવતી વિદ્યાલયના સંચાલક સતીશભાઈ મોરીએ સ્વાગત કર્યુ હતું..આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.આમ નરેન્દ્ર મોદીએ આ ટૂંકી પણ વિશેષ મુલાકાતથી કર્ણાવતી વિદ્યાલયના બાળકો અને નાના એવા વઘાડાના લોકોમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું...