Monday, 20, May, 2013

ભાવનગરના બોટાદ તાલુકાને જિલ્લો બનાવાશે - મોદી

PUBLISHED: 10:09 AM, 23 Sep 2012 | UPDATED: 10:09 AM, 23 Sep 2012
http://vtvgujarati.com/news/botad-modi-340.jpg
બોટાદ:
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવનગરના બોટાદ તાલુકાના જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે. 26મી જાન્યુઆરીથી બોટાદને જિલ્લો બનાવાશે. આ જિલ્લામાં રાણપુર, બરવાળા, ગઢડા અને બોટાદ તાલુકાઓનો સમાવેશ થાય છે. 

મુખ્યમંત્રીએ અત્યાર સુધીમાં કુલ ચાર નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે. જેમાં બોટાદ ઉપરાંત ગીર સોમનાથ, છોટા ઉદેપુર અને અરવલ્લીનો સમાવેશ થાય છે. આમ કુલ હાલના 26 જિલ્લાઓમાં 4 જિલ્લાનો વધારો થવાથી 30 જિલ્લાનું ગુજરાત આવતી 26મી જાન્યુઆરી, 2013 કાર્યરત થઇ જશે.

વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાનું સ્વાગત કરવા 1000 યુવા કાર્યકર્તાઓએ 500 મોટર બાઇક યાત્રાનું સામૈયું કર્યું, 2 કિ.મીથી વધારે લાંબી કતારોમાં બોટાદના રાજમાર્ગ પર બન્ને બાજુએ બોટાદ વાસીઓના ઘરે-ઘર જાણે ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે બોટાદના ધારાસભ્ય સૌરભભાઇ પટેલ પણ હાજર રહ્યા હતા.

Related News

યુવતીની હત્યાના વિરોધમાં પાલીતાણા બંધ

યુવતીની હત્યાના વિરોધમાં પાલીતાણા બંધ

હત્યારાને સાંજ સુધીમાં પકડવાની પોલીસની ખાતરી

રાજસ્થળી ગામે એક માતાએ પોતાના ત્રણ બાળક સાથે કુવામાં ઝંપલાવ્યું

રાજસ્થળી ગામે એક માતાએ પોતાના ત્રણ બાળક સાથે કુવામાં ઝંપલાવ્યું

વિઠ્ઠલવાડીમાં રહેતી મહિલાએ પોતાના પુત્રો સાથે કયા કારણસર આત્મહત્યા કરી, 4નાં મોત

ભાવનગરના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલને 19 વર્ષે મળ્યો  ન્યાય

ભાવનગરના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલને 19 વર્ષે મળ્યો ન્યાય

કોર્ટે આદેશ કર્યો છે કે, 60 દિવસમાં ગાંગજીભાઈને ફરજ પર લેવામાં આવે...


Photos/Videos