કેરળમાં ભારે વરસાદ બાદ તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન બાદ 26 લોકોનાં મોત થયા છે.
ભારે વરસાદના કારણે બચાવ કામગીરી માટે NDRFની છ ટીમ પણ તૈનાત કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે ઈદામાલયર ડેમમાંથી પમ 600 ક્યૂસેક પાણી છોડવામાં આવતા નદીઓમાં પણ પૂરની સ્થિતિ ઊભી થઈ છે.
તો બીજી તરફ અનેક રેલવે ટ્રેક પર પાણી ભરાતા કેટલીય ટ્રેનો રદ કરવાની પણ ફરજ પડી છે. એટલું જ નહીં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થતા કેટલાંક વિસ્તારમાં શાળા અને કૉલેજોમાં પણ રજા જાહેર કરી દેવાઈ છે.