મુંબઇ: મહારાષ્ટ્રના દહાણુ અને વનગાંવ વચ્ચે માલગાડીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જેના કારણે ભાગદોડ મચી ગઇ હતી.
ગુરૂવારે મોડી રાત્રે ટ્રેનમાં આગ લાગતા મુંબઈથી અમદાવાદનો રેલ વ્યવહાર ઠપ્પ થયો છે. અનેક ટ્રેનોના સમય પત્રકમાં ફેરફાર અને કેટલીક ટ્રેનો રદ્દ પણ કરવામા આવી છે.
અમદાવાદથી ઉપડતી કર્ણાવતી એક્સપ્રેસને વલસાડથી પરત કરવામાં આવી. જ્યારે વલસાડ એક્સપ્રેસ અને ફ્લાઈંગ રાનીને રદ્દ કરવામાં આવી.
Due to fire in two bogies of a goods train near Dahanu Road Station at 10.35 pm yesterday train movement was affected towards Mumbai on both lines. Down line opened at 1.35 am with speed restrictions. Restoration work in full swing for opening Up line: Western Railway PRO pic.twitter.com/iLRxBZsWqm
આ ઘટના બાદ રેલ તંત્ર દ્વારા ટ્રેનના જે ડબ્બામાં આગ લાગી હતી તે ડબ્બાને દૂર કરીને કામગીરી ચાલુ કરવામાં આવી હતી. આ ઘટના બાદ બન્ને તરફની લાઈનો બંધ રાખવામાં આવી છે.
જો કે માલગાડીના કન્ટેનરમાં કયા કારણોસર આગ લાગી એ હજુ સુધી જાણવા મળ્યું નતી કે કોઇ જાનહાનિ થઇ હોવાની પણ માહિતી મળી નથી.