ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતનો પ્રચાર ભાજપ સરકાર ખુબ જોરશોરથી ચૂંટણી સમયે કરે છે. વિદ્યાર્થીઓના હિતમાં FRC અને RTE જેવા કાયદાઓ પણ લાગુ કરે છે પણ રાજ્યસરકારને જ જાણે ઉલ્ટા ચશ્મા પહેરાવાનું કામ સરકારનું જ વહીવટીતંત્ર કરતું હોય તેવો ઘાટ ગુજરાતમાં ઘડાયો છે. શું તમને પણ કહેવાનું મન થઈ જશે કે સાહેબ જરા `વિદ્યાર્થીઓનું પણ વિચારો'.
ઉલ્લેખનીય છે કે એક તરફ રાજ્યસરકાર વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને RTE અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું જણાવી રહી છે. જોકે DEO કચેરીની લાલિયાવાડીને કારણે વિદ્યાર્થીઓનું ભાવી અંધારા તરફ જઈ રહ્યું છે. વાત અમદાવાદ શહેરના નવયુગ શાળાની છે. RTE અંતર્ગત પ્રવેશ મેળવેલા એક વિદ્યાર્થીનું વાલીએ શાળામાં એલ.સી માગતા શાળાએ જણાવ્યું કે DEO તરફથી વિદ્યાર્થીની રૂપિયા 10 હજાર ફી ચુકવવાની બાકી છે. DEO આ ફી ચુકવશે ત્યાર બાદ જ એલ.સી આપવામાં આવશે.
આમ RTE હેઠળ પ્રવેશના મામલે ફિયાસ્કો થયો છે. એજ્યુકેશન ટ્રાન્સપરન્સીની વાતોનો પણ ફિયાસ્કો થયો છે. વાડજની નવયુગ સ્કૂલે DEO સામે ગંભીર આક્ષેપ કર્યા છે. વિદ્યાર્થીના પૈસા DEOએ શાળામાં જમા ન કરવાતાં હવે સમગ્ર મામલો ગરમાયો છે. શાળાએ કહ્યું DEO પૈસા ચૂકવશે પછી અમે એલ.સી આપીશું. શાળાએ વિદ્યાર્થી તથા વાલીની વેદના ધ્યાનમાં રાખી DEOને લખ્યો પત્ર લખ્યો છે. આ મામલે શાળાએ DEOને પત્ર લખી ફી બાબતે સ્પષ્ટતા કરવાની પણ માગ કરી છે. શાળાએ ખુલાસો માગતા પ્રશ્ન કર્યો છે કે ફીના પૈસા સરકાર આપશે કે વાલી ?.આમ DEOની એક લાલિયા વાડીને કારણે વાલી વિદ્યાર્થી અને શાળા પણ મુંઝવણમાં મુકાઈ છે.
મહત્વનું છે કે હાલ એક વિદ્યાર્થીના ભાવીને ધ્યાનમાં રાખી નવયુગ શાળાએ DEO સામે પગલા ભરી હિંમત દાખવી છે. જોકે અહીં સવાલ એ ઉઠી રહ્યા છે કે રાજ્યની કેટલી શાળાના વિદ્યાર્થીઓનું ભાવી DEOની લાલીયાવાડીને કારણે જોખમમાં મુકાયા હશે ? રાજ્યસરકારે RTE અંતર્ગત DEOને વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. જોકે નવયુગ શાળામાં બનેલી ઘટના બાદ DEO સામે પણ સવાલોની વણઝાર ઉભી થઈ છે.
અહીં સવાલ એ ઉપજી આવે છે કે RTE અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીની કેમ ન ચુકવાઈ ફી ? સરકારી ચોપડે શું થઈ રહી છે ગફલત ? વિદ્યાર્થીઓનું કેમ થઈ રહ્યું છે શોષણ ? DEOએ કેમ ન ચુકવ્યા ફી ના પૈસા ?આમને આમ કરશો તો વિદ્યાર્થીના ભાવીનું શું ? શું તમે પણ સરકારને પહેરાવાય છે ઉલ્ટા ચશ્માં ?
શું DEO શાળા અને વાલીઓને ગેરમાર્ગે દોરે છે ? હજુ કેટલી શાળાના વિદ્યાર્થીઓની નથી ચુકવાઈ ફી ? હજુ કેટલા બાળકોનું ભાવી અંધારામાં ? હજુ કેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓનો તુટશે વિશ્વાસ ? કયાં સુધી દંડાશે નિર્દોષ વાલીઓ અને વિદ્યાર્થીઓ ?વાલીઓ કયાં સુધી ખાસે ઘક્કા ?.
હાલ તો સમગ્ર અહેવાલ વિદ્યાર્થીઓને પડી રહેલી હાલાકી અને વહીવટીતંત્ર સામે ઉઠેલા સવાલોને લઈને વીટીવીએ પ્રકાશીત કર્યો છે. જોકે રાજ્યસરકાર પણ હવે આ દિશામાં જાગી જાય અને જે-જે વિભાગ સરકારને વિશ્વાસના ઉલ્ટા ચશ્મા પહેરાવે છે. તેની સામે રાજ્યસરકાર હવે જાગી જાય અને કડક કાર્યવાહી કરે તે પણ ખુબ જ જરૂરી બન્યું છે.