પહેલાના જમાનામાં પોતાની વાતને સાચી સાબિત કરવા લોકોને રિસર્ચ કરવું પડતું હતું પુરાવા રજૂ કરવા પડતા હતા. ત્યારે એ પોતાની વાત રજૂ કરી શકતા હતા. પરંતુ હાલના સોશિયલ મીડિયાના જમાનાએ બધું પલટીને રાખી દીધું છે.
હવે સાચું શું છે એ જાણ્યા વગર જ લોકો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી વાત પર વિશ્વાસ કરી લે છે.
તાજેતરમાં કંઇક આવું જ બુરાડી કાંડ સાથે થયું.
બહુચર્ચિત બુરાડી કાંડને લઇને સોશિયલ મીડિયા પર એક સમાચાર આવ્યા છે. જેને દરેક જગ્યાએ ખલબલી મચાવી દીધી છે. સોશિયલ મીડિયા પર હાલમાં એક ફોટો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા એક ફોટા પ્રમાણે મૃત્યુ પામેલા 11 લોકોએ પુર્નજન્મ લીધો છે. જી હાં બિલકુલ સાચુ સાંભળ્યું સોશિયલ મીડિયાનું માનીએ તો બુરાડી કાંજમાં માર્યા ગયેલા 11 લોકોએ ફરીથી જન્મ લીધો છે. આ ફોટોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાટિયા પરિવારના 11 સભ્યોએ ફરીથી જન્મ લીધો છે.
જો કે Vtv આ વાતની પુષ્ટિ કરતું નથી કે આ વાયરલ ફોટામાં કહેવામાં આવેલી વાત સાચી છે કે ખોટી.
સોશિયલ મીડિયા પર જે ફોટો વાયરલ થઇ રહ્યો છે એમાં એક ટેબલ પર 11 બાળકો એકસાથે સૂતેલા છે અને એની સાથે બુરાડીના ભાટિયા પરિવારના પુર્નજન્મની વાત કહેવામાં આવી રહી છે.
આ છે ફોટાનું પૂરું સત્ય
આ ફોટાનું સત્ય પણ સામે આવી ગયું છે. મળતી જાણકારી અનુસાર આ વાયરલ ફોટો ગુજરાતના સુરતના કોઇ હોસ્પિટલનો છે. કહેવામાં આવી રહ્યું છે કે કોઇ પારસી મહિલાએ હોસ્પિટલમાં એકસાથે 11 બાળકોને જન્મ આપ્યો છે અને એનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. કારણ કે બુરાડી કાંડમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા પમ 11 હતી અને જન્મ લીધેલા બાળકોની સંખ્યા પણ 11 જ છે. એટલા નાટે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બુરાડી કેસમાં માર્યા ગયેલા 11 લોકોને ફરીથી જીંદગી મળી છે.
જો કે ડોક્ટરોએ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ સમાચારને ખોટા જણાવ્યા છે. એમનું માનીએ તો કોઇ પણ મહિલા એક સાથે 11 બાળકોને જન્મ આપી શકે નહીં.
તો કેટલાક મીડિયા રિપોર્ટ્સ આ ફોટાને ખૂબ જૂનો કહી રહ્યા છે. જેને ફરીથી વાયરલ કરવામાં આવી રહ્યો છે. તેમજ એવી પણ માહિતી મળી છે કે આ 11 બાળકો એક જ મહિલાના નહીં પરંતુ અલગ અલગ મહિલાઓના છે.