બંગાળની ખાડી પર બનેલા પ્રેશરના કારણે ચક્રવાતી તોફાન 'તિતલી'એ ઓડિશા પહોંચી ચૂક્યું છે આ ઓડિશા-આંધ્ર પ્રદેશના તટ સુધી પહોંચી ગયું છે. ઓડિશાના તટીય વિસ્તારમાં 126 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઇ રહ્યો છે. આ પવનની ઝડપ એટલો વધારે છે તેના કારણે ગોપાલપુર અને બેરહામપુરમાં ઘણા ઝાડ પણ પડી ગયા છે.
'તિતલી' ઓડિશા અને આંધ્ર પ્રદેશની તરફ આગળ વધવાથી તંત્ર વધારે એલર્ટ થઇ ગયું છે. ચક્રવાતી તોફાનમાં થનારા નુકસાનથી બચવા માટે અલગ-અલગ જિલ્લામાં NDRFની 18 ટીમને તૈનાત કરવામાં આવી છે. ઓડિશા આંધ્ર પ્રદેશ બંગાળના ઘણા વિસ્તારમાં 'તિતલી' તોફાનને લઇને રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યુ છે અને 3 લાખ જેટલા લોકોનું સ્થાંળાતર કરવામાં આવ્યુ છે.
#Visuals from Ganjam's Gopalpur after #TitliCyclone made landfall in the region at 5:30 am today. 10 000 people from low lying areas had been evacuated to govt shelters till last night. #Odishapic.twitter.com/HEYog0DNe7
ઓડિશા સરકારે રાજ્યના બધા સ્કૂલ કોલેજ અને આંગણવાડી કેન્દ્રોને 11- 12 ઓક્ટોબરે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. મુખ્ય સચિવ આદિત્ય પ્રસાદ પાધીએ કહ્યુ કે રાજ્યમાં 11 ઓક્ટોબરે યોજાનારી વિદ્યાર્થી સંઘની ચૂંટણીને રદ્દ કરી દેવામાં આવી છે. ચક્રવાત અને તેની સાથે વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. બધા અધિકારીઓની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે.
આ સિવાય 11-12 ઓક્ટોબરે ભુવનેશ્વર કટલ ઢેંકનાલ સંભલપુર ખુર્દા અને બેરહમપુરમાં યોજાનારી રેલ્વે બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી છે. નવી તારીખ અને જગ્યાની જાણકારી પરીક્ષાર્થીઓને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇ-મેલ પર આપવામાં આવશે.
પૂરનું એલર્ટ અને રેલ સેવાઓ પર અસર:
ઉત્તરી આંધ્ર પ્રદેશ અને દક્ષિણી ઓડિશાના તટીય વિસ્તારોમાં 'તિતલી'ને પ્રભાવ જોઇને ઘણી ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે તો કેટલાકના રૂટમાં બદલાવ કરવામાં આવ્યો છે. ત્યારે ઉત્તર પ્રદેશથી થઇ હાવડા/ ખડગપુરની તરફ આવનારી ટ્રેનોને સાંજના 5:15 વાગ્યા સુધી રોકી દેવામાં આવી છે. જ્યારે હૈદરાબાદ/ વિશાખાપટ્ટનમ જતી ટ્રેનોને સાંજે 6:40 વાગ્યા પછી રોકી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ઓડિશા સરકારે બુધવારે ગંજમ પુરી ખુર્દા જગતસિંહપુર અને કેન્દ્રપાડા જિલ્લામાં પ્રશાસનને 'તિતલી'ના પ્રભાવમાં આવનારા તમામ સંભવિત ક્ષેત્રોને ખાલી કરાવવા માટે નિર્દેશ આપ્યા છે. હવામાન વિભાગ દ્વારા 'તિતલી'ના ગંભીર સ્તર સુધી પહોંચ્યાની સૂચના આપ્યા બાદ મુખ્યમંત્રી નવીન પટનાયકે આ પાંચ જિલ્લાના જિલ્લા અધિકારીઓને સુનિશ્ચિત કરવા માટે કહ્યુ કે ''કોઇ દુર્ઘટના ના ઘટે.''