દિલ્હી: અટલ બિહારી વાજપેયીનું મેડિકલ બુલેટીન જારી કરવામાં આવ્યું હતું. જેમાં વાજપેયીના તમામ રિપોર્ટ નોર્મલ હોવાનો એઈમ્સના ડોક્ટરોએ દાવો કર્યો હતો. ડોક્ટરના કહેવા પ્રમાણે વાજપેયીની તબિયત પહેલા કરતા સુધરી રહી છે. જેથી તબિયત સ્થિર રહેશે તો ટૂકં સમયમાં રજા આપવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે બુધવારે યુપીના CM યોગી આદિત્યનાથ પણ વાજપેયીની તબિયત જોવા AIIMS પહોંચ્યા હતા. જો કે આજરોજ આવેલ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર વાજપેયીનાં દરેક રિપોર્ટ સામાન્ય છે. આ સાથે જ ઇન્ફેક્શન કંટ્રોલમાં પણ છે તેમજ બ્લડ પ્રેશર પણ સામાન્ય છે. તેઓને આવતા કેટલાંક દિવસોમાં હોસ્પિટલમાંથી રજા પણ મળી શકે છે. તમને જણાવી દઇએ કે કેટલાંક મેડિકલ ટેસ્ટ બાદ પણ ડૉક્ટરોએ તેઓને ICUમાંથી સામાન્ય વોર્ડમાં પણ શિફ્ટ કરવામાં આવેલ છે.
UP CM Yogi Adityanath arrives at All India Institute of Medical Sciences to visit former Prime Minister Atal Bihari Vajpayee. #Delhipic.twitter.com/geQdsJsnqW
આપને જણાવી દઇએ કે AIIMSના નિર્દેશક રણદીપ ગુલેરિયાએ જાહેર માધ્યમો સાથે વાતચીત કરતા જણાવેલ કે વાજપેયીને 11 જૂને અહીં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેમના હાર્ટમાં તકલીફ હતી. હાલ તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને બ્લડ શુગર પણ ઠીક છે. સોમવારનાં રોજ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયીનાં સ્વાસ્થ્યને લઇને એમ્સ તરફથી દિવસભરમાં ત્રણ વાર મેડિકલ રિપોર્ટ રજૂ કરવામાં આવેલ છે. પહેલા તો એઇમ્સનાં ડૉક્ટરોનું કહેવું એવું હતું કે પૂર્વ પ્રધાનમંત્રીને રૂટીન ચેકઅપ માટે એઇમ્સમાં લાવવામાં આવેલ છે.
Atal B Vajpayee has shown significant improvement in last 48 hrs. His kidney function is back to normal heart rate respiratory rate & BP also normal they're being maintained without support. Hopefully he'll make full recovery in next few days overall his health is good: AIIMS pic.twitter.com/YXCcVIoQ99
દેશના પૂર્વ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા 2009થી વ્હીલચેરમાં જ પોતાનું જીવન પસાર કરી રહ્યા છે અને જાહેર જીવન સાથે સાથે તેમણે કેટલાય વર્ષોથી છેડો ફાડી નાંખ્યો છે. તેઓ છેલ્લે જાહેરમાં 2015 જોવા મળ્યા જ્યારે તે સમયના તત્કાલિન રાષ્ટ્રપતિ તેમને દેશનો સર્વોચ્ચ ખિતાબ આપવા માટે ઘરે પહોંચ્યા. જો કે તાજેતરમાં તેઓ બિમાર થતા તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલ માટે સારવાર અર્થે લાવવામાં આવવા હતા.