વડોદરાઃ LRD પેપરકાંડ મામલે યશપાલ સોલંકી બાદ હવે આરોપી ઈન્દ્રવદન પરમારની ધરપકડ થઈ ગઈ છે. MRની નોકરી કરતા ઇન્દ્રવદનનું નામ આ મામલે શંકાના ઘેરામાં છે. ત્યારે એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.
ત્યારે અમારા સંવાદદાતાએ વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા તેના પરિવારનો સંપર્ક કરવાની કોશિશ કરી તો તેનું ઘર બંધ જોવા મળ્યું હતું. ઘર પર તાળું હતું.
અમે આસપાસના લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા 3-4 દિવસથી અહીંયા કોઈ આવ્યું જ નથી. ઘરના લોકો ક્યાં ગયા તેની કોઈને ખબર નથી.
જાણવા મળી રહ્યું છે કે આ ઇન્દ્રવદનના સંપર્કો ગુજરાત બહાર મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં છે. જેને લઇ આ મામલે તપાસ દરમિયાન મોટા ખુલાસા થાય તેવી સંભાવનાઓ છે.