નવી દિલ્હીઃ ગુજરાતમાં ઉત્તર ભારતીયોની સાથે થઇ રહેલ હિંસા અને પલાયન પર મૌન તોડતા પીએમ મોદીએ બુધવારે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનો મંત્ર 'ભાગલા પાડો અને રાજ કરો' છે જ્યારે ભાજપ 'સબકા સાથ સબકા વિકાસ'ના મંત્ર સાથે કામ કરે છે.
કોંગ્રેસની નીતિ ભાગલા પાડો અને રાજ કરો
જો કે પીએમ મોદીએ ભાજપના 'મેરા બૂથ સબસે મજબૂત' અભિયાન હેઠળ રાયપુર મૈસૂર ધૌલપુર દમોહ અને આગ્રાના ભાજપના બૂથ કાર્યકર્તાઓના નમો એપ દ્વારા સંબોધિત કરી રહ્યા હતા. જેમાં સંબોધનમાં તેમણે કહ્યું કે કોંગ્રેસે આજ સુધી ભાગલા પાડો અને રાજ કરો પર અમલ કર્યો છે. નાની-નાની વાતો પર લોકોને ભડકાવીને ઘુવડને સીધા કરવાનું કામ કર્યું છે.
3 new States were formed in a harmonious manner during Atal Ji’s tenure. But the manner in which Congress divided Andhra Pradesh & Telangana has led to enmity & mistrust amongst the people of both States despite the fact that they speak the same language:PM #MeraBoothSabseMajbootpic.twitter.com/vMQKx0XEFW
પીએમ મોદીએ કહ્યું કે હમે સુખ વહેંચનારા છીએ તેઓ સમાજ વહેંચનારા છે. અમે સુખ વહેંચીને દરેકની જિંદગીમાં સુખ લાવવાનો પ્રયાસ કરવાનો છે. તેમનું કામ સમાજને વહેંચીને પોતાના પરિવારનું ભલુ કરવાનો છે. પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે 5 રાજ્યો થનાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવી ઘટનાઓને મોટુ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસનું કામ જ છે તોડો વિખેરો અને એકબીજાને લડાવો.
મહત્વનું છે કે ગુજરાતમાં એક 14 માસની બાળકી સાથે રેપની ઘટના બાદ ઉત્તર ભારતીયો વિરૂદ્ધ હિંસા ભડકી હતી. જ્યારબાદ યૂપી અને બિહારના લોકો પલાયન થઇ રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ સંસદીય ક્ષેત્ર વારાણસીમાં 'ગુજરાતી નરેન્દ્ર મોદી બનારસ છોડો'ના પોસ્ટર પણ લાગ્યા હતા.