તહેવારોને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. નવા વર્ષના પ્રથમ દિવસે 20 હજાર પ્રવાસીઓના આગમનનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વર્ષના પ્રથમ દિવસના 4 વાગ્યા સુધીમાં 16 036 પ્રવાસીઓ નોંધાયા છે.
જેને લઈને પ્રવાસીઓ માટે બસની સુવિધા પણ ઓછી પડી હતી. પ્રવાસીઓના ધસારાને ધ્યાને રાખી 5 વાગ્યે ટિકીટ કાઉન્ટર બંધ કરી દેવામાં આવ્યું હતું. તો દિવાળીના દિવસે 11 219 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.
જેને લઈને નિગમને 2 દિવસમાં 70 લાખથી વધુની આવક થઈ છે. તો બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવા વર્ષના પ્રથમ દિવસથી લેસર શો શરૂ કરી દેવામાં આવ્યો છે. આ શો દરરોજ 6.30 થી 8 વાગ્યા સુધી યોજાશે.