અમદાવાદમાં ડિગ્રી વગરના ડૉક્ટરો પર તવાઈ બોલાવવામાં આવી છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ડિગ્રી વગરના ડૉક્ટરો પર કાર્યવાહી કરી છે. અમદાવાદમાં ડિગ્રી વગરના 4 ક્લિનિક સીલ કરાયા છે. જેમાં વેજલપુરમાં આવેલુ જે.પી.હેલ્થકેર સીલ કરવામાં આવ્યું છે.
જે.પી.હેલ્થકેરના દિપક પટેલ પાસે ડીગ્રી ન હોવા છતાં એલોપેથીની પ્રેક્ટિસ કરતા હતા. તો નારોલના આર્યન ચેરીટેબલ ટ્રસ્ટને પણ સીલ કરાયું છે. આ સાથે કાલુપુર ટાવર પાસે શહેજાદ અહેમદ જામીલ અહેમદ ક્લીનિક પણ સીલ કરી દેવાયું છે.
શહેજાદ નામનો શખ્સ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો. આ ઉપરાંત વટવામાં આવેલા આસ્થા સારવાર કેદ્રને બંધ કરી દેવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગની કાર્યવાહીને પગલે ફર્જી તબીબોમાં ફફળાટ વ્યાપી ગયો છે. જ્યારે ડિગ્રી વગરના ડૉક્ટરો પર તવાઈ બોલાવવામાં આવી છે.