સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલા હાજીપુરા નજીક ગોજારો અકસ્માત સર્જાયો છે. આ દૂર્ઘટનામાં 3લોકોના મોત નિપજ્યા છે અને 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે હાલ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાવમાં આવ્યા છે.
છોટાહાથીનું ટાયર અચાનક ફાટી જતા આ દૂર્ઘટના સર્જાઈ હતી.આ તમામ મુસાફરો હિંમતનગરના વાઘેલાવાસના રહેવાસીઓ હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે આ દૂર્ઘટનામાં 2 લોકોના ઘટના સ્થળ પર મોત નિપજ્યા હતા.
તો અન્ય એક મુસાફરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મોતનો આંક હજુ પણ વધી શકે તેવા પ્રાથમીક અહેવાલ હાલ સામે આવી રહ્યા છે. જ્યારે આવો ગોજારો અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ છે.