બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ધર્મ / ભારત / ઘરની બહાર નિકળતા પહેલા કરો આ કામ, બાબા બાગેશ્વરે સફળ થવા માટે જણાવ્યા ઉપાય

જ્યોતિષ / ઘરની બહાર નિકળતા પહેલા કરો આ કામ, બાબા બાગેશ્વરે સફળ થવા માટે જણાવ્યા ઉપાય

Last Updated: 06:48 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના દિવ્ય દરબારના કારણે અવાર-નવાર ચર્ચામાં રહે છે. દાવા મુજબ તે દરબારમાં લોકોની સમસ્યા દૂર કરે છે. બાગેશ્વર બાબાએ જ્યોતિષને લઈ પણ કેટલાક ઉપાયો જણાવ્યા છે, વાર મુજબ તેનું પાલન કરવાથી સફળતા મળે છે.

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતા હોય છે. તેમને માનનારા લાખોની સંખ્યામાં છે. દાવા મુજબ તે જ્યારે દરબાર લગાવે છે ત્યારે તે અનેક લોકોના દુખ દર્દ દૂર કરતા હોય છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને અનેક યુવાઓ સાંભળવાનું પસંદ કરે છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી વિવિધ રાજ્યોમાં દિવ્ય દરબાર લગાવે છે ત્યાં લોકો તેમની સમસ્યામાંથી લઈને શાસ્ત્રી પાસે આવતા હોય છે.

DHIRENDRA SASTRI

બાબા બાગેશ્વરે એસ્ટ્રોલોજીને લઈ કેટલાક સીક્રેટ વિશે જણાવ્યુ છે. અમે તમને તે અંગે માહિતી આપીશુ જેને અપનાવાથી તે તમારી સફળતાનું કારણ બની શકે છે. જો તમે કોઈ શુભ કાર્ય કરવા જાવ છો તો તમે ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવેલ સલાહ કે નુસ્ખાનું પાલન કરશો તો તમને સફળતા મળી શકે છે.

રવિવાર

જો તમે રવિવારે કોઈ શુભ કાર્ય કરવા જાવ છો તો તમારી સાથે એક પાનનું પત્તુ સાથે રાખો. આવુ કરવાથી તમારું કામ પૂર્ણ થશે.

સોમવાર

જો તમે સોમવારે ઘરથી બહાર જાવ છો તો દર્પણમાં તમારો ચેહરો જોઈને બહાર નિકળો, તેનાથી તમારો દિવસ સારો પસાર થશે.

મંગળવાર

મંગળવારે ઘરની બહાર કોઈ કામ માટે જાવ છો તો કોઈ ગળી વસ્તુ ખાઈને નિકળો જેનાથી તમને સફળતા મળશે.

બુધવાર

બુધવારે કામ માટે બહાર જાવ તો તેના પહેલા કોથમીરના કેટલાક પત્તા ખાવા, ત્યાર બાદ બહાર નિકળવા પર દિવસ શુભ રહે છે અને સફળતા મળે છે.

ગુરુવાર

ગુરુવારે કોઈ સફળ કામ પાર પાડવુ હોય તો પોતાની સાથે પીળા કલરનું ફુલ રાખો. જેનાથી પોઝિટિવ એનર્જી મળે છે. તમારુ કોઈ પણ કામ પાર પડે છે.

શુક્રવાર

જો તમે દહી ખાઈને બહાર નિકળો છો તો તમારો દિવસ સારો રહે છે, તમને તમામ કામમાં સફળતા મળે છે.

વાંચવા જેવું: ભુમાપુરામાં સ્વયંભૂ પ્રગટ થઈ હનુમાનદાદાની મૂર્તિ, 50 વર્ષથી પ્રગટી રહ્યો છે અખંડ દીવો

શનિવાર

આ દિવસે તમે બહાર જાઓ છો તો ઘી ખાઈને નિકળવુ જોઈએ તેનાથી શુભ પ્રભાવ પડે છે.

Disclaimer: અહીંયા આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. VTV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતુ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ