બ્રેકિંગ ન્યુઝ
તોફાની પવનના કારણે હવાઈ મુસાફરી પર અસર, પવનના કારણે કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી
દેશમાં લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં 63.06 ટકા મતદાન
અમદાવાદમાં વરસાદ
ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ
ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ
Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી
સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ
દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ
સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ
Last Updated: 11:00 AM, 28 April 2024
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 'રોશન સિંહ સોઢી' એટલે કે ગુરુચરણ સિંહ 22 એપ્રિલથી લાપતા છે. અભિનેતાના ગુમ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. તેનો પરિવાર તેને શોધવા માટે તમામ પ્રયાસ કરી રહ્યો છે. પોલીસ પણ ગુરુચરણ સિંહની શોધમાં સતત પ્રયાસો કરી રહી છે. તેના અપહરણની શંકા સેવાઈ રહી છે. ત્યારે પોલીસને એક CCTV ફૂટેજ મળ્યા છે, જેના આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે.
ADVERTISEMENT
Taarak Mehta Ka Ooltah Chashmah actor Gurucharan Singh ‘Sodhi,’ was seen crossing a road in CCTV footage from the Palam area on Monday night. His flight was scheduled for 8:30 pm on Monday, but he was seen at a traffic intersection in Palam around 9:14 pm in Delhi. Police stated… pic.twitter.com/RnsV8jQ3QI
— Gagandeep Singh (@Gagan4344) April 27, 2024
સામે આવેલા આ ફૂટેજ અનુસાર, ગુરુચરણ સિંહ રાત્રે 9.14 વાગ્યે દિલ્હીના પાલમ વિસ્તારમાં પરશુરામ ચોકમાં ક્યાંક ચાલતા જોઈ શકાય છે. CCTVમાં ગુરુચરણ ચાલીને કશે જતા દેખાઈ રહ્યા છે, તેની પીઠ પર બેગ છે. આજે દિલ્હી પોલીસ ગુરુચરણ સિંહની બેંક વિગતોની તપાસ કરશે, જેમાંથી દિલ્હી પોલીસને ઘણી કડીઓ મળી શકે છે.
જાણકારી અનુસાર, અભિનેતા ગુરચરણ સિંહ 22 એપ્રિલથી લાપતા છે. પોલીસે આ મામલામાં અપહરણનો ગુનો નોંધ્યો છે. પોલીસે IPC ની કલમ 365 હેઠળ FIR પણ નોંધી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ ગુરચરણ 22 એપ્રિલની સવારે મુંબઈ જવા નીકળ્યો હતો. તેની દિલ્હી એરપોર્ટથી 8:30 વાગ્યે ફ્લાઈટ હતી, પરંતુ તેણે ફ્લાઈટ લીધી ન હતી અને મુંબઈ નથી પહોંચ્યો.
25 એપ્રિલે બપોરે 3 વાગ્યે અભિનેતાના પિતાએ દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસના હાથે હવે સીસીટીવી ફૂટેજ લાગ્યા છે, જેમાં ગુરચરણ સિંહ જતા જોવા મળે છે. 24 એપ્રિલ સુધી અભિનેતાનો ફોન પણ કામ કરતો હતો, પરંતુ હવે તે સ્વીચ ઓફ હોવાનું જણાવી રહ્યું છે. જ્યારે પોલીસે ફોનના ટ્રાન્ઝેક્શન કઢાવ્યા તો તેમને ઘણી અટપટી વસ્તુઓ મળી.
અહેવાલો અનુસાર, ગુરચરણની માતા લાંબા સમયથી બીમાર છે. તેણી પણ હોસ્પિટલમાં દાખલ હતી. પિતાએ કહ્યું કે હવે તે ઠીક છે અને ઘરે છે. આરામ કરી રહી છે. પરિવાર હાલ ગુરચરણને લઈને ચિંતિત છે. પરંતુ દરેક વ્યક્તિ સકારાત્મક અભિગમ સાથે ચાલી રહ્યા છે. દરેક વ્યક્તિને કાયદો અને ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ છે. ગુરચરણ સિંહના પિતા હરગીત સિંહે કહ્યું હતું કે- SHOએ મને ફોન કર્યો હતો અને તેમણે મને આશ્વાસન આપ્યું છે કે તે ગુરચરણને જલ્દી શોધી લેશે અને મને આશા છે કે ગુરચરણ ઠીક હશે અને તે ખુશ હશે. તે અત્યારે જ્યાં પણ હોય, ભગવાન તેનું ભલું કરે.
ADVERTISEMENT
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટોપ સ્ટોરીઝ