બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક
PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર
લોકસભા ચૂંટણી 2024: કંગના રનૌત આજે મંડીથી નામાંકન કરશે
મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ્સ પડતા મૃત્યુ પામેલાઓની સંખ્યા વધી
તોફાની પવનના કારણે હવાઈ મુસાફરી પર અસર, પવનના કારણે કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી
દેશમાં લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં 63.06 ટકા મતદાન
અમદાવાદમાં વરસાદ
ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ
ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ
Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન
Last Updated: 09:48 PM, 28 April 2024
દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં એવું જણાવ્યું કે પિતા દ્વારા બાળકના બાપ પર તથા પત્ની સામે લગ્નેતર સંબંધોના પાયાવિહોણા આરોપો લગાવવા માનસિક ક્રૂરતા સમાન છે. જસ્ટિસ સુરેશ કુમાર કૈટ અને નીના બંસલ કૃષ્ણાની ડિવિઝન બેંચે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને કહ્યું હતું કે આ પ્રકારના આરોપો ચારિત્ર્ય, સન્માન અને પ્રતિષ્ઠા પર ગંભીર હુમલો છે અને તે ક્રૂરતાનું સૌથી ખરાબ સ્વરૂપ છે. આવા પાયાવિહોણા દાવાઓ માનસિક પીડાનું કારણ બને છે. ખંડપીઠે પતિની છૂટાછેડાની અરજીને ફગાવી દેવાના ફેમિલી કોર્ટના નિર્ણયને માન્ય રાખતા અપીલને ફગાવી દીધી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો : જામનગરનો પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, સીમકાર્ડથી પાડ્યો મોટો ખેલ, ગુજરાત ATSએ ઝડપ્યો
હાઈકોર્ટે અરજદારને કેમ ન આપ્યાં છૂટાછેડા
ADVERTISEMENT
ખંડપીઠે જણાવ્યું હતું કે, "ફેમિલી જજે યોગ્ય રીતે જણાવ્યું હતું કે લગ્નેતર વ્યક્તિ સાથે અભદ્રતાના ઘૃણાસ્પદ આક્ષેપો કરવા અને લગ્નેતર સંબંધોના આરોપો મૂકવા એ પતિ-પત્નીના ચારિત્ર્ય, સન્માન, પ્રતિષ્ઠા, દરજ્જા તેમજ માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર હુમલો છે." પતિ-પત્ની પર લગાવવામાં આવેલા બેવફાના આવા નિંદાકારક, પાયાવિહોણા આક્ષેપો અને બાળકોને પણ નહીં છોડે, તે અપમાન અને ક્રૂરતાનું સૌથી ખરાબ સ્વરૂપ હશે, જે અરજદારને છૂટાછેડા મેળવવાથી વંચિત રાખવા માટે પૂરતું છે. આ એક એવો કેસ છે જ્યાં અરજદારે પોતે ભૂલ કરી છે અને તેને છૂટાછેડા ન મળી શકે.
શું હતો કેસ
પતિએ દલીલ કરી હતી કે તે સપ્ટેમ્બર 2004માં મહિલાને મળ્યો હતો અને બીજા વર્ષે લગ્ન કરી લીધા હતા. જ્યારે તે નશામાં હતો ત્યારે તેની સાથે સંબંધ બાંધ્યાં હતા અને ત્યાર બાદ મહિલાએ તેને લગ્ન માટે દબાણ કર્યું હતું અને બાદમાં તેને કહ્યું હતું કે તે ગર્ભવતી છે. પતિએ એવો આક્ષેપ કર્યો હતે કે પત્નીએ આત્મહત્યા કરવાની ધમકી આપી હતી અને અનેક પુરુષો સાથે તેના ગેરકાયદેસર સંબંધો હતા. આ મામલે વિચાર કર્યા બાદ કોર્ટે પતિના આરોપોને ફગાવી દીધા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT