બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

VTV / સ્પોર્ટસ / Cricket / રાજસ્થાન સામે જીતેલી મેચ હાર્યા બાદ કેએલ રાહુલનું દર્દ છલકાયું, જાણો હાર માટે કોને જવાબદાર ગણાવ્યો

IPL 2024 / રાજસ્થાન સામે જીતેલી મેચ હાર્યા બાદ કેએલ રાહુલનું દર્દ છલકાયું, જાણો હાર માટે કોને જવાબદાર ગણાવ્યો

Last Updated: 08:30 AM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લખનૌ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 196 રન બનાવ્યા હતા અને ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સ ટીમે 7 વિકેટે જીત મેળવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં રાજસ્થાન રોયલ્સ ટીમનું પ્રદર્શન અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ રહ્યું છે. ગઇકાલે રાજસ્થાનની ટીમે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં 7 વિકેટે જીત મેળવીને પ્લેઓફ માટે પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે.

લખનૌ ટીમના કેપ્ટન કેએલ રાહુલે જણાવ્યું હારનું કારણ

આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા કેપ્ટન કેએલ રાહુલના 76 રન અને દીપક હુડ્ડાના 50 રનની મદદથી 20 ઓવરમાં 196 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સ ટીમે 78 રન સુધી 3 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ સંજુ સેમસન અને ધ્રુવ જુરેલે ચોથી વિકેટ માટે 100થી વધુ રનની ભાગીદારી કરી અને આ મેચમાં ટીમને આસાન જીત અપાવી હતી . રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં મળેલી હાર બાદ લખનૌ ટીમના કેપ્ટન કેએલ રાહુલે સ્વીકાર્યું કે તેમની ટીમે મેચમાં 20 થી 25 રન ઓછા બનાવ્યા હતા.

જો 20-20 વધુ રન બનાવ્યા હોત, તો..

કેએલ રાહુલે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં હાર બાદ કહ્યું કે મને લાગે છે કે અમે આ મેચમાં 20 રન ઓછા બનાવ્યા છે. અમને સારી શરૂઆત મળી ન હતી, પરંતુ મારી અને હુડાની ભાગીદારી સારી રહી હતી. 15મી ઓવર સુધીમાં અમે 150 રનની નજીક પહોંચી ગયા હતા પણ આ પછી અમારે વધુ રણ બનાવવાની જરૂર હતી. તે સ્પષ્ટ છે કે જે ટીમ વધુ છગ્ગા ફટકારે છે તે અંતમાં જીતવામાં સફળ થાય છે. અમે પણ આ જ વિચાર સાથે મેદાનમાં ઉતર્યા હતા પરંતુ 2 વિકેટ વહેલી ગુમાવવાના કારણે અમારે થોડી સાવધાનીથી રમવું પડ્યું હતું. જો હુડ્ડા અને મેં 20-20 વધુ રન બનાવ્યા હોત, તો અમે આરામથી 220ના સ્કોર સુધી પહોંચી શક્યા હોત, જે આ મેચમાં મોટો તફાવત લાવી શક્યો હોત.

વધુ વાંચો: '...તો હું ટીમ ઇન્ડિયાને', શું T20 વર્લ્ડકપમાં શુભમન ગિલની થશે પસંદગી? આપ્યો ધારદાર જવાબ

છેલ્લી ઓવરોમાં અમારે બિશ્નોઈનો ઉપયોગ કરવો હતો

રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં બોલિંગ કરતી વખતે લખનૌની ટીમે તેના સૌથી મહત્વપૂર્ણ બોલર રવિ બિશ્નોઈને બોલિંગ આક્રમણમાં લાવવામાં ઘણો વિલંબ કર્યો હતો, જેના વિશે કેએલ રાહુલે કહ્યું હતું કે અમે વિચાર્યું હતું કે છેલ્લી ઓવરોમાં અમે બિશ્નોઈનો ઉપયોગ કરીશું. પરંતુ તેઓ અમારા પર સતત દબાણ રાખતા હતા. તેથી અમે તેને બોલિંગ પર લાવવા માટે યોગ્ય વ્યૂહરચના સાથે આગળ વધી શક્યા નહીં. અમે ઇચ્છતા હતા કે તે શિમરોન હેટમાયર અને રોવમેન પોવેલ સામે બોલિંગ કરે કારણ કે અમે જાણતા હતા કે તે તેમની સામે વધુ સારી બોલિંગ કરી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ