બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કંગના રનૌત આજે મંડીથી નામાંકન કરશે
મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ્સ પડતા મૃત્યુ પામેલાઓની સંખ્યા વધી
તોફાની પવનના કારણે હવાઈ મુસાફરી પર અસર, પવનના કારણે કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી
દેશમાં લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં 63.06 ટકા મતદાન
અમદાવાદમાં વરસાદ
ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ
ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ
Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી
સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ
VTV / ગુજરાત / અમદાવાદ / Outrage among farmers over rising prices of DAP, Minister Faldu finally clarified
Shyam
Last Updated: 04:55 PM, 27 February 2021
ખાતરના ભાવ વધારાના મામલે આર.સી.ફળદુએ નિવેદન આપ્યું છે કે ગુજરાતમાં આ ભાવ વધારો લાગુ પડશે નહીં. ગુજરાતમાં વેચાણ કરતી ખાતરની કંપનીએ ભાવ વધાર્યા નથી. ગુજરાતમાં DAP-NPK ખાતરોમાં કોઈ ભાવ વધારો નથી. બેંગાલુરૂમાં એક કંપનીએ ભાવ વધારો કર્યો છે.
ADVERTISEMENT
રાસાયણિક ખાતરના ભાવ વધારાને લઇ કૃષિમંત્રી આર.સી. ફળદુએ સ્પષ્ટતા કરી છે કે, રાસાયણિક ખાતરના ભાવમાં કોઈ વધારો નહીં. ચૂંટણીઓ હારી જતા વિરોધીઓએ અફવા ફેલાવી છે. પૂરતો સ્ટોક છે કોઈ લાઈનો લગાવવાની જરૂર નથી. વધુ ભાવ લેશે તેનું લાયસન્સ રદ કરાશે.
તો બીજી તરફ ખાતરના ભાવમાં વધારાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અમરેલીના વડિયામાં ખાતરની ખરીદી વધી છે. NPK અને DAP ખાતર લેવા ખેડૂતો ડેપો પર પહોંચ્યા છે. ડેપો મેનેજરે પણ વધુ ખરીદી થઈ હોવાનો સ્વીકાર કર્યો છે. ખાતરના ભાવ વધારાની જાહેરાતને પગલે ખેડૂતો ખરીદી કરી રહ્યાં છે. જો કે, આ બાબતે રાજ્યના કૃષિ પ્રધાને નિવેદન આપીને ભાવ વધારાના મુદ્દાને નકારી દીધો છે.
જાણો દિલીપ સંઘાણીએ પણ કરી સ્પષ્ટતા
ખાતરના ભાવમાં વધારાના મામલે દિલીપ સંઘાણીએ સ્પષ્ટતા કરી છે. તેમને કહ્યું કે, રો-મટિરિયલના ભાવમાં વધારો થતા ખાતરના ભાવ વધ્યા છે. ઈફકોએ ખાતરના ભાવમાં વધારો કર્યો નથી. અન્ય કંપનીએ ખાતરના ભાવ વધાર્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટોપ સ્ટોરીઝ