બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Outrage among farmers over rising prices of DAP, Minister Faldu finally clarified
ADVERTISEMENT
ખાતરના ભાવ વધારાના મામલે આર.સી.ફળદુએ નિવેદન આપ્યું છે કે ગુજરાતમાં આ ભાવ વધારો લાગુ પડશે નહીં. ગુજરાતમાં વેચાણ કરતી ખાતરની કંપનીએ ભાવ વધાર્યા નથી. ગુજરાતમાં DAP-NPK ખાતરોમાં કોઈ ભાવ વધારો નથી. બેંગાલુરૂમાં એક કંપનીએ ભાવ વધારો કર્યો છે.
રાસાયણિક ખાતરના ભાવ વધારાને લઇ કૃષિમંત્રી આર.સી. ફળદુએ સ્પષ્ટતા કરી છે કે, રાસાયણિક ખાતરના ભાવમાં કોઈ વધારો નહીં. ચૂંટણીઓ હારી જતા વિરોધીઓએ અફવા ફેલાવી છે. પૂરતો સ્ટોક છે કોઈ લાઈનો લગાવવાની જરૂર નથી. વધુ ભાવ લેશે તેનું લાયસન્સ રદ કરાશે.
ADVERTISEMENT
તો બીજી તરફ ખાતરના ભાવમાં વધારાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અમરેલીના વડિયામાં ખાતરની ખરીદી વધી છે. NPK અને DAP ખાતર લેવા ખેડૂતો ડેપો પર પહોંચ્યા છે. ડેપો મેનેજરે પણ વધુ ખરીદી થઈ હોવાનો સ્વીકાર કર્યો છે. ખાતરના ભાવ વધારાની જાહેરાતને પગલે ખેડૂતો ખરીદી કરી રહ્યાં છે. જો કે, આ બાબતે રાજ્યના કૃષિ પ્રધાને નિવેદન આપીને ભાવ વધારાના મુદ્દાને નકારી દીધો છે.
ADVERTISEMENT

જાણો દિલીપ સંઘાણીએ પણ કરી સ્પષ્ટતા
ADVERTISEMENT
ખાતરના ભાવમાં વધારાના મામલે દિલીપ સંઘાણીએ સ્પષ્ટતા કરી છે. તેમને કહ્યું કે, રો-મટિરિયલના ભાવમાં વધારો થતા ખાતરના ભાવ વધ્યા છે. ઈફકોએ ખાતરના ભાવમાં વધારો કર્યો નથી. અન્ય કંપનીએ ખાતરના ભાવ વધાર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.