બ્રેકિંગ ન્યુઝ
સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ
નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો
ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ
દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ
દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ
પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ
સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી
ક્ષત્રિય સંકલન સમિતિ પરના આરોપને લઇ રમજુભાનો જવાબ, પી.ટી. જાડેજા મામલે સમાધાન થઈ ગયું છે
આવનારા 4 દિવસમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી, રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે
PM મોદીનો આવતીકાલે વારાણસીમાં ભવ્ય રોડ શો
VTV / ભારત / Politics / અમદાવાદ / રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Last Updated: 04:16 PM, 28 April 2024
લોકસભા ચૂંટણીને લઇ પ્રચાર અર્થે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. દરમ્યાન તેમણે સભાને સંબોધતા કહ્યું કે વર્ષ 2027 સુધીમાં ભારત વિશ્વના ટોપ 3 દેશોમાં આવી જશે..તેમણે કહ્યું કે આ વિકાસનું કારણ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સ્ટ્રોંગ લિડરશીપ છે..
પ્રધાનમંત્રીના વિઝનથી 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર આવ્યા
આ દરમ્યાન રાજનાથ સિંહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા..તેમણે કહ્યું કે કોંગ્રેસ પાસે નીતિ નથી, નિયમ નથી, નેતાઓ નથી.. રાજનાથ સિંહે કહ્યું કે ઇન્દીરા ગાંધી, મનમોહન સિંહ પણ ગરીબી દૂર ન કરી શક્યા પણ પ્રધાનમંત્રીના વિઝનથી 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢવામાં આવ્યા. તેમણે કહ્યું કે આવતા 10 વર્ષમાં ભારત દેશમાંથી ગરીબી નાબુદ કરીશું
उत्तर भारतीय महासम्मेलन, पूर्वी अहमदाबाद में संबोधन
— Rajnath Singh (मोदी का परिवार) (@rajnathsingh) April 28, 2024
https://t.co/rH7aMBeP85
ભારત વિશ્વના ટોપ 3 દેશોમાં આવી જશેઃ રાજનાથ સિંહ
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે પર્ચાર કરતી સમયે નિવેદન આપ્યું છે કે 2027 સુધીમાં ભારત વિશ્વના ટોપ 3 દેશોમાં આવી જશે... અને આ વિકાસનું કારણ જે સ્ટ્રોંગ લીડરશીપ પ્રધાનમંત્રીની છે તેના કારણે આ વાત શક્ય બની છે... રાજનાથસિંહે કોંગ્રેસ પર પણ પર્હાર કરીને કહ્યું હતુ કે કોંગ્રેસ પાસે નીતિ નથી, નિયમ નથી, નેતાઓ નથી... ઇન્દીરા ગાંધી, મનમોહન સિંહ પણ ગરીબી દૂર ન કરી શક્યા પણ પ્રધાનમંત્રીના વિઝનથી 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા...આવતા 10 વર્ષમાં ભારત દેશમાંથી ગરીબી નાબૂદ કરીશું
આ પણ વાંચોઃ 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
કોંગ્રેસના 10 વર્ષના શાસનમાં ખુબ ભ્રષ્ટાચાર થયો
આ સાથે રાજનાથ સિંહે કહ્યુ કે કોંગ્રેસે ઇમરજન્સી લાદીને દેશનો મોટો અપરાધ કરવાનું કામ કર્યુ હતું..જેને કારણે અમે 18 મહિના સુધી જેલવાસ ભોગવ્યો હતો. કોંગ્રેસના 2004 થી 2014 સુધીના શાસનમાં ખુબ ભ્રષ્ટાચાર હતો. ભ્રષ્ટાચારનું ઓર્ગેનાઇઝ પાર્ટનર કોંગ્રેસ હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસનો મેનિફેસ્ટો વિભાજનકારી છે. રાજનાથ સિંહે કહ્યું કે આ વખતે ગરમીના લીધે વોટિંગ ઓછું થયું છે.. જો કે તેમણે આ વાતનો દાવો કર્યો કે અમેઠી અને રાયબરેલીમાં કોંગ્રેસ ભલે કોઇપણ ઉમેદવાર ઉભો રાખે, જીત ભાજપની જ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT