બ્રેકિંગ ન્યુઝ
દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ
સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ
સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ
નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો
ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ
દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ
દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ
પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ
સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી
ક્ષત્રિય સંકલન સમિતિ પરના આરોપને લઇ રમજુભાનો જવાબ, પી.ટી. જાડેજા મામલે સમાધાન થઈ ગયું છે
VTV / લાઈફસ્ટાઈલ / સલાડમાં આ વસ્તુઓ ખાવાથી પાણીની કમી થશે દૂર, લૂ નહીં લાગે અને ચહેરો ચમકી ઉઠશે
Last Updated: 12:48 PM, 28 April 2024
ઉનાળો ચાલી રહ્યો છે, ગરમી દિવસેને દિવસે વધી રહી છે ત્યારે જરૂરી બની જાય છે કે આ ગરમીમાં પોતાના શરીરને હાઇડ્રેટેડ રાખવું. ગરમીને હરાવવા માટે પોતાને હાઇડ્રેટેડ રાખવું વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે. ડિહાઇડ્રેશનને કારણે હીટસ્ટ્રોકનો ભય રહે છે. તેથી, ઉનાળામાં પુષ્કળ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ રોજ એવું શક્ય નથી બનતું કે ભરપૂર માત્રામાં પાણી પીવામાં આવે. એટલે જ પીવાના પાણીની સાથે, કેટલીક એવી વસ્તુઓને આહારમાં સામેલ કરવું જોઈએ, જેમાં પાણી ભરપૂર હોય. આનાથી માત્ર તમારા એકંદર સ્વાસ્થ્યને જ ફાયદો નથી થતો, પરંતુ તમારી ત્વચા પણ ડ્રાય નથી થતી. ઉનાળામાં મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી, સંતરા વગેરે સારી માત્રામાં ખાવાની સાથે સાથે દૂધી અને તૂરિયાં જેવા શાકભાજીને પણ રાંધીને ખાવા જોઈએ. આ સાથે સલાડમાં દરરોજ કેટલાક કાચા શાકભાજી પણ ખાવા જોઈએ.
બીટરૂટ વધારશે લોહી અને પાચનક્રિયા પણ સુધરશે - શિયાળો હોય કે ઉનાળો, સલાડ દરમિયાન તમારા આહારમાં બીટરૂટનો સમાવેશ કરવો એ સારો વિકલ્પ છે. તેમાં ફાઈબર હોય છે જે પાચનક્રિયાને મજબૂત બનાવે છે. બીટરૂટ એ આયર્ન સહિત ઘણા વિટામિન્સ અને મિનરલ્સનો ભંડાર છે. લોહીની ઉણપથી પીડાતા લોકો માટે પણ બીટરૂટ ખૂબ જ ફાયદાકારક છે.
સલાડમાં ટામેટાંનું સેવન આપશે ઘણા ફાયદા - ઉનાળાના દિવસોમાં સલાડમાં ટામેટાને સામેલ કરો કારણ કે તેમાં પુષ્કળ પાણી અને ઘણા પોષક તત્વો હોય છે. ત્વચાને ફાયદો કરવા ઉપરાંત કાચા ટામેટાંનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવા, હૃદયને સ્વસ્થ રાખવા, કબજિયાતમાં સુધારો, વજન ઘટાડવા વગેરેમાં મદદરૂપ થાય છે.
ખીરા-કાકડી રોજ ખાઓ - ખીરા અને કાકડી એવી વસ્તુઓ છે જે પાણીથી ભરપૂર હોય છે. ઉનાળામાં આ બે શાકભાજીને તમારા આહારમાં દરરોજ સલાડ તરીકે સામેલ કરો.
ખૂબ જ ફાયદાકારક લીલું મરચું - ઉનાળા દરમિયાન લાલ મરચાને બદલે લીલા મરચાના સેવન પર ધ્યાન આપવું જોઈએ. દરરોજ 2 થી 3 લીલાં મરચાં ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. વિટામિન સીની સાથે તેમાં ઘણા પોષક તત્વો પણ મળી આવે છે, જે તમને ગરમીના સ્ટ્રોકથી બચાવીને ઉનાળામાં સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.
હીટસ્ટ્રોકથી બચવા માટે કાચી ડુંગળી ફાયદાકારક - ઉનાળામાં જમવામાં કાચી ડુંગળી ખાઈ શકો છો. તમારા પેટને ઠંડક આપવા ઉપરાંત, તે તમને હીટસ્ટ્રોકથી બચાવવાનું પણ કામ કરે છે. તેથી, દરરોજ સલાડમાં એક ડુંગળી ખાઓ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT