બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો

ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો

Last Updated: 05:11 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: સાબરકાંઠા ભાજપમાં ચાલી રહેલી લાંબા સમયથી નારજગી મુદ્દે સી આરી પાટીલે કહ્યું કે, કેટલાક લોકો નારાજ હતાં. જેમને પણ મનાવી લેવામાં આવ્યા છે.

ગુજરાતમાં ચૈત્ર મહિનો બે રીતે તપી રહ્યો છે. એક છે હવામાન અને બીજું છે લોકસભાની ચૂંટણીને લઈ રાજકારણ. બંન્નેમાં ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યો છે. તપતા સૂર્યનારયણની નીચે રાજકારણીઓ પૂરજોશમાં સભાઓ ગજવી રહ્યાં છે. ત્યારે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે અરવલ્લીના મોડાસામાં બુથ સંમેલનમાં કાર્યકરોને નારજગી દૂર મૂકીને કામ પર લાગવીની હાકલ કરી છે

'નારાજગી અહીં મૂકી જાય...'

અરવલ્લીના મોડાસામાં ભાજપ દ્વારા પ્રમુખ બુથ સંમેલનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે કાર્યકરોને સાબરકાંઠા લોકસભા બેઠક ટિકિટ અંગેની વાત કરતા કહ્યુ હતુ કે, જેમની નારાજગી છે તેઓ તેમની નારાજગી અહીં મૂકી જાય અને કામે લાગી જાય.

પાટીલે કાર્યકરોને આપ્યા સૂચનો

સી આર પાટીલે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પાસે મહત્વકાંક્ષા હોવી જોઈએ, ધારાસભ્યથી લઈ તાલુકા પંચાયત જેવી ચૂંટણી લડવાની ઈચ્છા હોવી જોઈએ. પરંતુ જો ટિકિટ ન મળે તો જેને મળે તેને જીતડવા માટે કામ કરવાનું હોય. પાટીલે કાર્યકરોને સૂચના આપતા કહ્યું કે, જો કોઈ બીજાને ટિકિટ મળે અને તમે નારાજ થઈ જાઓ તો તે તમારો અધિકાર નથી. કારણ કે, જે દિવસે તમને ટિકિટ મળશે તે દિવસે બીજા નારાજ થયા તો ! માટે જો કોઈને નારાજગી હોય તો આજે અહીં જ તમારી નારાજગી મૂકીને જજો. વધુમાં કહ્યું કે, નારાજ થવાનો અધિકાર તમારી પાસેથી હું આજે લઈ લઉં છું

વાંચવા જેવું: ભારતને વર્લ્ડ કપ જીતાડનાર ગૅરી કર્સ્ટન બન્યાં પાકિસ્તાનના નવા કોચ, પકડ્યોતો સચિનનો જોરદાર કેચ

'કેટલાક લોકો નારાજ હતાં'

સાબરકાંઠા ભાજપમાં ચાલી રહેલી લાંબા સમયથી નારજગી મુદ્દે સી આરી પાટીલે કહ્યું કે, કેટલાક લોકો નારાજ હતાં. જેમને પણ મનાવી લેવામાં આવ્યા છે. નારાજ થવાનો સ્વભાવ એ અધિકાર છે તેમજ માનવ વૃત્તિમાં નારાજગી હોય પરંતુ તે ક્ષણિક હોય છે, માટે તમામે નારાજગી મૂકી કામ પર લાગી જવાનું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ