બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ
ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ
Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી
સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ
દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ
સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ
નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો
ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ
દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'રૂપાલાએ માફી માંગી છે, અમે ભાજપને સપોર્ટ કરીશું', રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ
Last Updated: 08:18 PM, 28 April 2024
રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા વિરુદ્ધ રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજના વિરોધને શાંત કરવા ભાજપ અનેક પ્રયાસો કરી રહી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વિવિધ લોકસભા બેઠક પર જઈને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી વિરોધ ઠારવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તો બીજી તરફ હવે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ મેદાને આવ્યા છે. જેમણે દક્ષિણ ગુજરાત બાદ હવે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ગાંધીનગરના કમલમ ખાતે બેઠક યોજી છે.
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ બેઠક યોજી છે. ગાંધીનગરના ભાજપ કાર્યાલય કમલમ ખાતે બંધ બારણે યોજાયેલી બેઠકમાં કારડીયા, નાડોદા રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. વિગતો મુજબ આ બેઠકમાં ભાજપ તરફી વધુમાં વધુ મતદાન થાય તેને લઈ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ક્ષત્રિય સમાજમાં પ્રસરેલા રોષને શક્ય હોય તેટલો શાંત કરવાનો પ્રયાસ કરવા ચર્ચા કરાઈ છે.
વાંચવા જેવું: 'RSS અને BJP સંવિધાન ખતમ કરવા માંગે છે',દમણમાં રાહુલ ગાંધીના ચાબખા
રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ લક્ષ્મણસિંહ યાદવની આગેવાની હેઠળ કારડીયા અને નાડોદા રાજપૂત સમાજના આગેવાનો બેઠકમાં જોડાયા હતા. બેઠક બાદ લક્ષ્મણસિંહ યાદવે જણાવ્યુ હતુ કે, દેશ હિત ખાતર અમે ભાજપને સમર્થન કરીશું. પરષોત્તમ રૂપાલાએ અગાઉ માફી માગી હોવાથી તે મુદ્દો હવે રહેતો નથી. વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજ પાસે જઈ સમજાવવાનો પ્રયાસ કરીશું. ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી મામલો થાળે પાડવાના પ્રયત્નો કરીશું. મહત્વપૂર્ણ છે કે, સી.આર.પાટીલે સુરત ખાતે પણ કારડીયા રાજપૂત સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT