બ્રેકિંગ ન્યુઝ
સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત
ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી
પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા
રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા
પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર
મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ
ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ
છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત
આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,
Dinesh
Last Updated: 08:26 PM, 14 January 2024
ADVERTISEMENT
ઉત્તરાયણના પવિત્ર તહેવારને લઈ અમદાવાદમાં ઇમર્જન્સી કોલમાં વધારો થયો છે તો બીજી તરફ 35 જેટલા કોલમાં ફાયર વિભાગને પણ મળ્યા હતાં. આપને જણાવીએ કે, અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ પર ઇમર્જન્સી કોલમાં વધારો થયો છે, 108માં સાંજે 8 વાગ્યા સુધીમાં 2792 કેસ નોંધાયા છે. જે ગત વર્ષની સરખાણીએ આ વર્ષે કેસ વધુ નોંધાયા છે.
ADVERTISEMENT
ઇમર્જન્સી કોલમાં વધારો
અમદાવાદમાં ઉતરાયણ પર્વ પર ઇમર્જન્સી કોલમાં વધારો થયો છે. 108માં 2,792 કેસ નોંધાયા છે. જેમાં દોરી વાગવા, અકસ્માતના પણ બનાવો નોંધાયા છે, તો બીજી તરફ કરુણા અભિયાનમાં પણ ઇમરજન્સી કોલમાં વધારો થયો છે. 6 વાગ્યા સુધીની વાત કરવામાં આવે તો 1,327 કોલ આવ્યા છે. જેમાં 834 પશુ અને 439 પક્ષીને ઈજા થયાના કોલ આવ્યા હતાં.
દોરી વાગવાના બનાવો
રાજ્યમાં અનેક લોકોને દોરી વાગવાના પણ બનાવો નોંધાયા છે. આપને જણાવીએ કે, રાજ્યમાં દોરી વાગવાના 66 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 27, વડોદરા 7, સુરત 7, ભાવનગર અને રાજકોટમાં 4-4 કેસ નોંધાયા છે. બાકીના શહેરમાં ક્યાંક 3 તો ક્યાંક 2 તો મોટા ભાગના સ્થળે 1 કેસ નોંધાયા છે. તો રોડ અકસ્માતમાં 513 કેસ નોંધાયા છે. સૌથી વધુ 99 કેસ અમદાવાદમાં નોંધાયા છે.
વાંચવા જેવું: છેલ્લા 30 વર્ષથી દર ઉત્તરાયણથી લંડનથી ગુજરાત આવે છે સલીમભાઈ: લખનૌ-કોલકાતાથી મંગાવે છે પતંગ
35 જેટલા કોલમાં ફાયર બ્રિગેડે કામગીરી કરી
અમદાવાદમાં ઉત્તરાયણ દરમિયાન ફાયર બ્રિગેડને પણ ખાસા એવા કોલ મળ્યા હતાં. 35 જેટલા કોલમાં ફાયર બ્રિગેડે કામગીરી પણ કરી છે. જેમાં ફસાયેલા પક્ષીઓનું રેસ્ક્યુ કરી પક્ષીઓને બચાવવામાં આવ્યા હતું. હજુ પણ આ આંકડો વધે તેવી શકયતાઓ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં નોકરી મેળવવા માટે શું શું કરવું પડશે?
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT