એ દિવસ કેવી રીતે ભુલી શકાય જ્યારે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને મુંબઈ વાનખેડે સ્ટેડિયમમાં હરાવીને બીજી વખત વિશ્વ કપ જીત્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ કારનામુ 28 વર્ષ બાદ કર્યુ હતુ. ટીમ ઈન્ડિયાના બેસ્ટમેન ગૌતમ ગંભીર (97) અને તત્કાલ કેપ્ટન મેહન્દ્ર સિંહ ધોની (91)ની ઈનિગ્સના કારણે ભારત બીજી વખત વિશ્વ વિજેતા બન્યુ હતુ.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ઘોનીએ આ મેચમાં 79 બોલ પર આઠ ચોક્કા અને બે છક્કાની મદદથી 91 રનની ઈનિંગ્સ રમી હતી. ઘોનીએ 48મી ઓવરના બીજા બોલ પર છક્કો મારીને આ મેચ જીતાડી હતી.
ભારતીય ક્રિકેટ ટિમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું વિશ્વ વિજયી બેટ લંડનમાં એક લાખ પાઉન્ડમાં એટલે કે લગભગ 72 લાખ રૂપિયામાં વેચાયું હતુ. ધોનીએ આ બેટથી વિશ્વ કપ 2011ના ફાઈનલમાં 91 રન બનાવ્યા હતા અને છેલ્લા બોલ પર છક્કો મારીને ભારતને વિશ્વ કપ ચેમ્પિયન બનાવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે લંડનના એક હોટલમાં બેટની સાથે એ તમામ ખેલના સામનોની બોલી લગાવવામાં આવી હતી. ધોનીએ વર્લ્ડ કપ ફાઈનલમાં આ બેટથી રન બનાવ્યા હતા.