દિલ્હી: કેન્દ્રીય માનવ સંશાધન રાજ્ય મંત્રી સત્યપાલ સિંહે કહ્યું કે ટૂંક સમયમાં NCERTના પુસ્તકમાંથી ગોધરા કાંડનું પ્રકરણ હટાવવામાં આવશે. NCERTના રાજનીતિ શાસ્ત્રના પુસ્તકમાં ભાજપને ગોધરા કાંડના તોફાનો અને હિન્દુવાદી વિચારચરણીની પાર્ટી બતાવવામાં આવી છે. આ પ્રકરણ હટાવવા અને પુસ્તકમાં ટૂંક સમયમાં સંશોધન કરવાની વાત સત્યપાલસિંહે કહી છે.
પુસ્તકમાં ગોધરા કાંડને લઈ ખોટું લખવામાં આવ્યું છે અને ભાજપને હિન્દુત્વના એજન્ડા પર ચાલનારી પાર્ટી બતાવવામાં આવી છે. સત્યપાલ સિંહે કહ્યું કે વર્ષ 2004થી આ પુસ્તકમાં કોઈ સંશોધન કરવામાં આવ્યું નથી.
આપને જણાવી દઈએ કે NCERTના ધોરણ 12ના રાજનીતિ શાસ્ત્રના પુસ્તકમાં સ્વતંત્ર ભારતમાં રાજનીતિ નામના પ્રક્રરણમાં ભાજપને ગોધરા કાંડના તોફાનો અને હિન્દુત્વવાદી પાર્ટી બતાવવામાં આવી છે.
તો આ મામલે કોંગ્રેસે કહ્યું કે પુસ્તકમાં નરેન્દ્ર મોદી માટે જે વાસ્તવિકતા છે તેનું વર્ણન વિદ્વાનોએ કર્યું છે. તેથી ભાજપે તેનો સ્વિકાર કરવો જોઈએ. ભાજપ ગમે તેટલું સત્ય છપાવે પણ સત્ય તમામની સામે આવી ગયું છે. ભલે તેનું પુસ્તકમાંથી હટાવવામાં આવે પરંતુ લોકોના મનમાં તે ફીટ થઈ ગયું છે.