બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : પંડાલમાંથી બાબાની કાર નીકળી, પગે પડવા લોકોએ દોટ મૂકી પછી ટપોટપ લાશો

હાથરસ નાસભાગ / VIDEO : પંડાલમાંથી બાબાની કાર નીકળી, પગે પડવા લોકોએ દોટ મૂકી પછી ટપોટપ લાશો

Last Updated: 10:03 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

122થી વધુ લોકોની ભોગ લેનારી યુપીના હાથરસની નાસભાગમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

યુપીના હાથરસના પુલરાઈ ગામમાં મંગળવારે બપોરે સત્સંગ પૂરો કર્યાં બાદ નારાયણ સાકર હરિ તરીકે જાણીતા સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબાની કાર નીકળી હતી અને તેમના ચરણસ્પર્શ કરવા લોકો ગાડી પાછળ દોટ મૂકી હતી બસ તેમાં જ સેંકડો લોકો માર્યાં ગયાં હતા.

ચરણસ્પર્શ કરવા ગુરુજીની ગાડી પાછળ દોટ મૂકી

ઘટનાને નજરે જોનાર લોકોએ કહ્યું કે મેદાનમાં સત્સંગ પંડાલ બનાવવામાં આવ્યો હતો. સત્સંગ પૂરો થયા પછી ગુરુજીની ગાડી નીકળી. લોકો તેના પગ સ્પર્શ કરવા દોડ્યા અને નાસભાગ મચી ગઈ. ઘણા લોકો પડી ગયા અને લોકો તેમના પર ચડીને બહાર આવવા લાગ્યા. પ્રત્યક્ષદર્શી રામદાસે જણાવ્યું કે તે તેની પત્નીને દવા કરાવવા માટે અલીગઢ લઈ ગયો હતો. ત્યાંથી સત્સંગમાં હાજરી આપી પરત ફર્યા. રામદાસ બહાર સેવાદાર પાસે બેઠા હતા, જ્યારે તેમની પત્ની સત્સંગની અંદર ગઈ હતી અને અકસ્માતનો ભોગ બની હતી. રામદાસે કહ્યું કે તેમને કહેવામાં આવ્યું કે તેમની પત્નીને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. રામદાસે કહ્યું કે અમે પંડાલથી દૂર બેઠા હતા, અમે જોયું કે અચાનક એક ભીડ બહાર આવી, લગભગ 1.5 થી 2 લાખ લોકોની ભીડ હતી. 50 થી 60 વીઘાનું મેદાન હતું, જેમાં પંડાલ બનાવવામાં આવ્યો હતો. આખો રસ્તો જામ થઈ ગયો હતો.

બચી જનાર કિશોરી શું બોલી

હાથરસ કાંડમાં બચી જનાર એક કિશોરી જ્યોતિએ એવું કહ્યું કે હું મારી મમ્મી સાથે સત્સંગમા ગઈ હતી. મંગળવારે ભોલે બાબાના સત્સંગમાં ભારે ભીડ હતી. લગભગ ત્રણ કલાક સુધી સત્સંગ ચાલ્યો હતો, પંડાલમાંથી બહાર નીકળવાનો રસ્તો ખૂબ જ સાંકડો હતો. બહાર નીકળવાની ઉતાવળમાં લોકો એકબીજા પર પડ્યા અને નાસભાગ મચી ગઈ. જ્યારે મેં બહાર જવાનો પ્રયાસ કર્યો ત્યારે મને બહાર પાર્ક કરેલી મોટરસાઈકલ જોવા મળી. જેના કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો. દરમિયાન પાછળથી ઘણા લોકો અમને પણ ધક્કો મારીને આગળ વધી રહ્યા હતા. મને પણ લાગ્યું કે હું કચડાઈ જઈશ. ત્યાં સુધીમાં અનેક લોકો બેભાન થઈને જમીન પર પડી ગયા હતા.

કેવી રીતે થઈ નાસભાગ

હાથરસથી 40 કિમી દૂર ફૂલરાઈ ગામમાં બાબા ભોલેનો સત્સંગ ચાલી રહ્યો હતો જેમાં સવા લાખથી વધુ લોકો આવ્યાં હતા ધાર્યાં કરતાં વધારે લોકો આવ્યાં હોવાથી ગરમી અને બફારાને કારણે લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. સત્સંગ પૂરો થયા પછી જ્યારે લોકો બહાર જવા માટે ઉભા થયા તો તે બેભાન થઈને પડવા લાગ્યો. જેના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં 122થી વધુ લોકોના મોત થયાં છે અને હજુ આંકડો વધી રહ્યો છે.

વધુ વાંચો : સત્સંગીઓની ઢગલાબંધ લાશો જોતાં પોલીસ કોન્સ્ટેબલનું હૃદય બેસી ગયું, હાર્ટએટેકથી મોત

કોણ છે ભોલે બાબા?

નારાયણ સાકર હરિ તરીકે જાણીતા સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબા મૂળ કાસગંજના પટિયાલી ગામના છે. તેમણે પટિયાલીમાં પોતાનો આશ્રમ બનાવ્યો છે. સંત બનતા પહેલા ભોલે બાબા યુપી પોલીસમાં નોકરી કરતા હતા. 18 વર્ષ પોલીસની નોકરી કર્યાં બાદ સ્વૈચ્છિક નિવૃતી લઈને પોતાના ગામમાં ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યાં અને ગામડે ગામડે ભક્તિનો પ્રચાર કર્યો તેઓ હંમેશા સફેદ રંગના પેન્ટ અને શર્ટમાં સિંહાસન પર બેસીને ઉપદેશ આપે છે. ભોલે બાબાનો આ સત્સંગ પશ્ચિમ યુપીના લોકોમાં વધુ પ્રખ્યાત છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપે છે. આજે ભોલે બાબાના લાખો અનુયાયીઓ છે.

નાસભાગમાં કેટલા મર્યાં?

અત્યાર સુધી નાસભાગમાં 122થી વધુ લોકો માર્યાં ગયા છે જે ભોલે બાબાની કથા સાંભળવામાં આવ્યાં હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Hathras stampede death UP stampede death news UP stampede horror
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ