બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:37 PM, 2 July 2024
પ્રભુ સ્મરણ કરતાં મોત મળે રુડુ કહેવાય પરંતુ ક્યારે પ્રભુ સ્મરણ કરતાં કરુણ મોત મળતું હોય છે, કહેવાય છે ને ભાગ્યમાં લખેલું અફર હોય છે તેને કોઈ પણ કાળે અટકાવી શકાતું નથી. યુપીના હાથરસમાં બનેલી એક અત્યંત કરુણ ઘટનામાં સત્સંગના કાર્યક્રમમાં 122થી વધુ લોકોના મોત થયાં હતા અને મોતનું કારણ હતું નાસભાગ.
ADVERTISEMENT
More than 100 people, mostly women are dead and several injured in a major #Stampede during a religious preacher was addressing, near #SikandraRau of #Hathras dist, #UttarPradesh on Tuesday.
— Surya Reddy (@jsuryareddy) July 2, 2024
Locals alleges Administration failure causes the death toll rises to 100-150.#हाथरस pic.twitter.com/iyPIBR5tUq
ક્યાં બની દુર્ઘટના
ADVERTISEMENT
યુપીના હાથરસના ફુલરાઈ ગામમાં બાબા ભોલેના સત્સંગમાં મચેલી નાસભાગમાં મોતનો આંકડો વધીને 107 થયો છે અને હજુ પણ ઘણા બેહોશ હોવાથી આંકડો વધશે. મૃતકોમાં મોટા ભાગની મહિલાઓ છે જેઓ મોટી સંખ્યામાં સત્સંગ સાંભળવા આવી હતી.
#BreakingNews: The death toll in the #Hathras stampede during a satsang has risen to 50-60, with many injured as per the statement of DM Hathras.
— Beats in Brief (@beatsinbrief) July 2, 2024
सत्संग के दौरान #हाथरस भगदड़ में मरने वालों की संख्या 50-60 हो गई है, कई लोग घायल हुए हैं। pic.twitter.com/E9V3dmo9Yk
કેવી રીતે બની ટ્રેજેડી
ફુલરાઈ ગામમાં બાબા ભોલેના સત્સંગ ચાલી રહ્યો હતો. સત્સંગ કરાવનાર બાબા સ્થાનિક સ્તરે ખૂબ લોકપ્રિય છે અને તેમના કાર્યક્રમમાં ધાર્યા કરતાં વધારે લગભગ સવા લાખ લોકોની ભીડ આવી હતી. ગરમી અને બફારાને કારણે લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. સત્સંગ પૂરો થયા પછી જ્યારે લોકો બહાર જવા માટે ઉભા થયા તો તે બેભાન થઈને પડવા લાગ્યો. જેના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં મહિલાઓ, પુરુષો અને બાળકો જમીન પર પડ્યા હતા.
🚨Sensitive Visual 🚨
— Sovik Das (@SovikDas10) July 2, 2024
Sad news from Hathras, Uttar Pradesh!
A stampede broke out at Bhole Baba's satsang in Sikandrarau, resulting in the death of 27 people.
Most of the dead are women and children!
Locals are condemning the administration, citing a failure of @BJP4India's… pic.twitter.com/gspESYooWo
ભીડે અંગે પહેલેથી અપાઈ હતી ચેતવણી
હાથરસ નાસભાગ અંગે LIU એ પહેલાથી જ વહીવટીતંત્રને ભીડ વિશે ચેતવણી આપી હતી. આ પછી પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. LIUએ અધિકારીઓને કોઈ મોટી ઘટનાની શક્યતા અંગે ચેતવણી આપી હતી, પરંતુ તે પછી પણ અધિકારીઓ મૌન રહ્યા હતા અને શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઈ હતી.
Horrific visuals are emerging from Hathras, UP. A stampede during Bhole Baba's satsang in Phulrai has resulted in the deaths of 30 devotees. #UttarPradesh pic.twitter.com/yx5hIfGFW8
— Naseer Giyas (@NaseerGiyas) July 2, 2024
હોસ્પિટલમાં લાશના ઢગલા
આ ઘટના બાદ સત્સંગ સ્થળેથી પ્રશાસન સ્થળે લાશો કાઢવાનું કામ શરુ કરી દેવાયું હતું અત્યાર સુધી 122 લાશો મળી છે અને હજુ વધારે નીકળવાની સંભાવના છે. હોસ્પિટલમાં પણ લાશોના ઢગલા થવા લાગ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.