બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / પાંડવોએ આ જગ્યા પર બનાવ્યું હતું વિશ્વનું સૌથી ઉંચું શિવ મંદિર, ભગવાન રામ સાથે છે કનેક્શન
Last Updated: 03:14 PM, 1 July 2024
વિશ્વના ઘણા દેશોમાં ભગવાન શિવના ભવ્ય મંદિરો આવેલા છે અને આપણા ભારતમાં તો ઉત્તરથી દક્ષિણ સુધી ભગવાન શિવના ઘણા ભવ્ય અને સુંદર મંદિરો છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાનું સૌથી ઊંચું શિવ મંદિર આપણા ભારતના ઉત્તરાખંડમાં આવેલું છે અને આ મંદિર વિશે એવી માન્યતા છે કે તેનું નિર્માણ પાંડવોએ કરાવ્યું હતું.
ADVERTISEMENT
વિશ્વનું સૌથી ઊંચું શિવ મંદિર ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે અને ભગવાન શિવના આ મંદિરને ભક્તો તુંગનાથ મંદિરના નામથી ઓળખે છે. તુંગનાથ મંદિર ચંદ્રનાથ પર્વત પર 3,680 મીટર એટલે કે 12,073 ફૂટની ઉંચાઈ પર છે. જો તમે તુંગનાથ મંદિર જવા માંગો છો તો આ માટે તમારે પહેલા સોનપ્રયાગ જવું પડશે, ત્યાંથી તમે ગુપ્તકાશી, ઉખીમઠ, ચોપટા થઈને તુંગનાથ મંદિર પહોંચી શકો છો.
ADVERTISEMENT
આ મંદિર 1000 વર્ષ જૂનું માનવામાં આવે છે અને અહીં ભગવાન શિવની પૂજા પંચ કેદારમાંથી એકના રૂપમાં થાય છે. આ મંદિરમાં ભગવાન શિવના હાથની પૂજા કરવામાં આવે છે. આ મંદિર થોડા મહિનાઓ માટે જ ખુલ્લું રહે છે. સામાન્ય રીતે ઉનાળાના મહિનાઓ દરમિયાન યાત્રાળુઓ આ મંદિરની મુલાકાત લે છે.
કહેવાય છે કે આ મંદિરનો ઈતિહાસ મહાભારત જેટલો જૂનો છે અને આ મંદિરનો પાયો અર્જુને નાખ્યો હતો. એવું માનવામાં આવે છે કે હજારો વર્ષ પહેલા પાંડવ ભાઈઓએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
પૌરાણિક કથાઓ અનુસાર તુગનાથનું એક કનેક્શન ભગવાન રામ સાથે પણ છે. કહેવાય છે કે ભગવાન રામ પર રાવણને માર્યા પછી બ્રાહ્મણ હત્યાના પાપનો આરોપ હતો અને આ પાપમાંથી મુક્ત થવા માટે એમને તુંગનાથથી દોઢ કિમી દૂર ચંદ્રશિલા પર્વત પર તપસ્યા કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
બેરહેમ બાબાનું કૃત્ય / સ્વર્ગની લાલચ આપીને બાબાએ સેંકડો ભક્તોને ઝેર પીવડાવ્યું, આશ્રમમાં લાશો જ લાશો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.