બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:21 PM, 2 July 2024
ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મી ત્યાં જ વાસ કરે છે જ્યાં સાફ-સફાઈનું ધ્યાન રાખવામાં આવે. ઘરમાં સાફ-સફાઈ રાખવાથી માતા લક્ષ્મીની કૃપા મળે છે સાથે જ બીમારીઓ પણ દૂર રહે છે. સાથે જ ઘરમાં સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે.
ADVERTISEMENT
ઘરનું સ્વચ્છ વાતાવરણ મન, શરીર, સ્વાસ્થ્ય અને પરિવારના સદસ્યોની પ્રગતિ સાથે જોડાયેલું હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘરની સાફ-સફાઈને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને અમુક નિયમો વિશે જણાવવામાં આવ્યું છે. જાણો તેના વિશે.
ADVERTISEMENT
સૂર્યાસ્ત બાદ ભૂલથી પણ ન કરો સફાઈ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત બાદ કે પછી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઘરમાં કચરો ન વાળવો જોઈએ. એવી માન્યતા છે કે આ સમય માતા લક્ષ્મીના ઘરમાં પ્રવેશ કરવાનો હોય છે પરંતુ જો કોઈ કારણોથી તમને આ સમયે કચરો વાળવો પડે છે તો તેમાં નિકળતા કચરાને સવારે સૂર્ય ઉદય બાદ જ ઘરથી બહાર ફેંકી દો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
આ સમયે ભૂલથી પણ ન કરો ઘરમાં પોતુ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર પોતુ કરવાના પણ અમુક નિયમ છે જેમ કે જ્યારે તમારા ઘરથી કોઈ પણ વ્યક્તિ બહાર જઈ રહ્યું હોય તો તેના જવાના થોડા સમય બાદ ઘરમાં પોતુ કરો. જો તમે એવું નહીં કરો તો તે વ્યક્તિને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
દરવાજા બહાર ન ફેંકો ગંદુ પાણી
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના ઉમરા પર માતા લક્ષ્મીનો વાસ હોય છે. જ્યારે તમે ઘરની સાફ-સફાઈ કરી લો તો તેના બાદ તમારે પોતુ કરેલા પાણીને ક્યારેય પણ ઘરના દરવાજાની બહાર ન નાખવું જોઈએ. આમ કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. કારણ કે ઘરનો જે દરવાજો હોય છે તેમાં માતા લક્ષ્મીનો પ્રવેશ દ્વાર માનવામાં આવે છે. કહેવાય છે કે તમે જ્યારે પોતુ કરેલું પાણી ત્યાં નાખો તો માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે.
વધુ વાંચો: રતન ટાટાએ બચાવી 115 કર્મચારીઓની નોકરી, કંઇ એમ જ નથી કરાતી ભારત રત્ન આપવાની માંગ!
જુના કપડાથી ન કરો પોતુ
ઘણા લોકોના ઘરોમાં પોતા માટે જુના કપડાનો ઉપયોગ થાય છે. જુની ટીશર્ટને પોતુ બનાવવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેનાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.