બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:34 PM, 1 July 2024
લાખો-કરોડો વર્ષોના અનંત ઈતિહાસમાં પૃથ્વી કોઈને કોઈ સમયે જરુરથી કબ્રસ્તાન રહી ચૂકી છે, વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે પૃથ્વીનો કોઈ એવો ખૂણો નથી કે જે કોઈને કોઈ સમયે સ્મશાન ન રહી ચૂક્યો હોય. હવે આ ક્રમમાં પ્રાચીન ઈજિપ્તમાં મોટા પાયે કબરો મળી છે.
ADVERTISEMENT
પ્રાચીન કબ્રસ્તાનમાંથી 300થી વધુ મમી મળી
ઈજિપ્તમાંથી એક પ્રાચીન કબ્રસ્તાન મળ્યું છે જેમાં 300થી વધુ મમીઓ દફનાવાયેલી હાલતમાં મળી આવી હતી. વૈજ્ઞાનિકોએ 300 થી વધુ મમીની કબરોને 'મૃતકોનું શહેર' નામ આપ્યું છે. પુરાતત્વવિદોએ આગાખાન III ના આધુનિક સમાધિની નજીક એક ટેકરી પર એક સ્થળ પર કબરોનું ખોદકામ કર્યું, જ્યાં પાંચ વર્ષથી ખોદકામ ચાલી રહ્યું છે. આ કબ્રસ્તાન લગભગ 270,000 ફૂટ સુધીના વિસ્તારમાં ઘેરાયેલું છે અને કબરો લગભગ 10 માળ સુધી જાય છે. આંતરરાષ્ટ્રીય સંશોધકોની ટીમે અહીં 36 નવી કબરો શોધી કાઢી છે. એવું અનુમાન છે કે આ સ્થાનનો ઉપયોગ 900 વર્ષથી થતો હતો. એટલે કે, તેનો ઉપયોગ 6ઠ્ઠી સદી પૂર્વેથી 9મી સદી સુધી કરવામાં આવ્યો હતો અને દરેક કબરમાં 30 થી 40 લોકોના અવશેષો હતા.
ADVERTISEMENT
40 ટકા અવશેષો શિશુઓ અને કિશોરોના
ઈજિપ્તની એન્ટિક્વિટીઝ કાઉન્સિલના પ્રાચીન વસ્તુઓ વિભાગના વડા અયમાન અશ્માવીએ જણાવ્યું હતું કે 30 થી 40 ટકા અવશેષો શિશુઓ અને કિશોરોના હતા. આમાંના ઘણા ચેપી રોગોને કારણે મૃત્યુ પામ્યા હતા. આ ખરેખર અદભૂત શોધ હતી. અસવાનના લોકોએ ટેકરીને કબરોથી ઢાંકી દીધી હતી. તે એક રીતે મૃતકોનું શહેર છે. હવે અસ્વાન તરીકે ઓળખાતા શહેરને પહેલા સ્વેનેટ અને બાદમાં સ્વાન કહેવામાં આવતું હતું. એક નામ જેનો અર્થ બજાર. કારણ કે આ વ્યાપારી કેન્દ્ર આફ્રિકા અને યુરોપના દૂર-દૂરના વિસ્તારોમાંથી પ્રવાસીઓને આકર્ષિત કરતું હતું. મૃતકોના શહેરની ઓળખ સૌપ્રથમ 2019 માં કરવામાં આવી હતી, જ્યારે બે બાળકો અને તેમના માતા અને પિતાની મમી ધરાવતી કબર મળી આવી હતી.
વધુ વાંચો : પોતાની દફનવિધિ ચાલતી હતી ત્યારે સામે આવીને ઊભો રહ્યો, કૌતુકભર્યું બન્યું કેવી રીતે?
લાશોને વર્ગ પ્રમાણે દફનાવાતી
ખોદકામમાં એ પણ જાણવા મળ્યું કે મૃતદેહોને વર્ગ પ્રમાણે દફનાવાતાં, જેમ કે અસ્વાનના કમાન્ડરના અવશેષો, પહાડીની કબરોમાં દફનાવવામાં આવ્યા હતા. વિવિધ સામાજિક સ્તરના લોકોની કબરોમાં ઘણીવાર મૃતકોને આપવામાં આવતી ઔપચારિક ભેટો હોય છે, જેમાં માટીકામ અને લાકડાના કોતરણીનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
બેરહેમ બાબાનું કૃત્ય / સ્વર્ગની લાલચ આપીને બાબાએ સેંકડો ભક્તોને ઝેર પીવડાવ્યું, આશ્રમમાં લાશો જ લાશો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.