બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ચોમાસાની સિઝનમાં ફર્નીચરને આવે છે ઉધઇ? તો અપનાવો આ ઉપાય, મળશે છૂટકારો
Last Updated: 06:04 PM, 2 July 2024
વરસાદની સિઝનમાં ઘરોમાં ઘણા પ્રકારના કિડા મકોડા, મચ્છર, માખીઓ, વંદા, ઉધઈ આવે છે. આ સિઝનમાં ઉધઈ પણ ખૂબ જ જલ્દી ફેલાય છે. એક વખત ઘરમાં ઉધઈ લાગે તો ઘરના બધા જ ફર્નીચરને કોતરી ખાય છે. ઉધઈ અંદરથી લાકડાને પોલુ કરી નાખે છે. ઘણી વખત ઉધઈ લાગે તો ખબર પણ નથી રહેતી અને મોઈસ્ચરના કારણે તે વધતી જ જાય છે. જાણો તેનાથી બચવાના ઉપાય.
ADVERTISEMENT
ઉધઈ ભગાવવાના ઘરગથ્થુ ઉપાય
ADVERTISEMENT
લીમડાનું તેલ
ઉધઈથી બચવા માટે લીમડાનું તેલ અસરકારક ઘરગથ્થુ ઉપાય છે. તેનાથી મચ્છર અને માકડ પણ દૂર ભાગે છે. ઉધઈથી ફર્નીચરને બચાવવા માટે ચોમાસાની સીઝનમાં લીમડાના તેલનો ઉપયોગ કરો.
બોરિક એસિડ
ઉધઈ ભગાવવામાં સફેદ પાઉડર બોરિક એસિડ પણ અસરકારક કામ કરે છે. બોરિક એસિડનો ઉપયોગ કોકરોચ ભગાવવા માટે કરવામાં આવે છે. તમે તેની ગોળીઓ બનાવીને પ્રભાવિત જગ્યા પર મુકી દો.
વિનેગર
જો ઉધઈ લાગી ગઈ છે તો વિનેગરનો ઉપયોગ કરો. દીવાલ કે ફર્નીચરમાં લાગેલી ઉધઈને ભગાવવા માટે વિનેગરનો ઉપયોગ એક નેચરલ ઉપાય છે. તેમાં થોડો લીંબૂનો રસ મિક્સ કરીને છાંટો.
વધુ વાંચો: જો તમારી પણ છે આ રાશિ, તો આગામી 63 દિવસ સુધી સાચવીને રહેજો, કેતુનું થશે નક્ષત્ર પરિવર્તન
મીઠાનો ઉપયોગ
મીઠાનો ઉપયોગ ઉધઈ ભગાડવા માટે અસરકારક છે. જે લોકોને ઘરમાં મોટાભાગે ઉધઈની સમસ્યા રહે છે તેમને મીઠાનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. મીઠામાં એવા ગુણ છે જે ઉધઈને દૂર કરી શકે છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.