બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:55 PM, 2 July 2024
યુપીના હાથરસમાં આટલી મોટી સંખ્યામાં મોતના સમાચાર સાંભળીને દરેક વ્યક્તિને ભારે આઘાત લાગ્યો છે. ચારેબાજુ મૃતદેહો અને ચીસો સિવાય કશું સંભળાતું નથી. સત્સંગમાં નાસભાગ મચી ગયા બાદ હવે લોકોના મનમાં એક જ સવાલ ઉઠવા લાગ્યો છે કે કોણ છે એ નિર્દોષ બાબા, જેનો ઉપદેશ સાંભળવા માટે આટલી મોટી સંખ્યામાં ભક્તો હાથરસ પહોંચ્યા હતા.
ADVERTISEMENT
दुखद खबर!
— RAVI MEGHWAL (@R_kantkant) July 2, 2024
यूपी के हाथरस में सत्संग के दौरान मची भगदड़
मृतकों में कई महिलाएं व बच्चे भी शामिल।
जो तस्वीरें आ रहीं है काफी भयावह है जो हुआ बहुत गलत हुआ...ऊपर वाले मरने वालों की आत्मा को शांति दे🙂🙏#hathrash #BigBreaking #हाथरस #hathras #यूपी #bhole_baba_satsang #CrimeNews pic.twitter.com/JefEyXCicl
18 વર્ષ પહેલા પોલીસની નોકરી છોડી
ADVERTISEMENT
ભોલે બાબા તરીકે ઓળખાતા સંતનું સાચું નામ સૂરજ પાલ છે. અનુયાયીઓ તેમને વિશ્વ હરિ ભોલે બાબા તરીકે ઓળખે છે. ભોલે બાબા મૂળ કાસગંજના પટિયાલી ગામના છે. તેમણે પટિયાલીમાં પોતાનો આશ્રમ બનાવ્યો છે. સંત બનતા પહેલા ભોલે બાબા યુપી પોલીસમાં નોકરી કરતા હતા. 18 વર્ષ પોલીસની નોકરી કર્યાં બાદ સ્વૈચ્છિક નિવૃતી લઈને પોતાના ગામમાં ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યાં અને ગામડે ગામડે ભક્તિનો પ્રચાર કર્યો આ સમય દરમિયાન, તેમને ઘણું દાન મળવાનું શરૂ થયું, ત્યારબાદ તેમણે વિવિધ સ્થળોએ સત્સંગનું આયોજન કરવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં ભોલે બાબાની આખી જીવનશૈલી બદલાઈ ગઈ. આજે ભોલે બાબાના લાખો અનુયાયીઓ છે. વિવિધ સ્થળોએ સત્સંગનું આયોજન કરવામાં આવે છે, જેમાં લાખો ભક્તો ઉપદેશ સાંભળવા આવે છે.
Heartbreaking 💔
— Mahua Moitra Fans (@MahuaMoitraFans) July 2, 2024
At least 107 people, mostly women, died in a major stampede during a religious event in Uttar Pradesh's Hathras district.
It was a satsang meeting of Bhole Baba, a religious preacher.#Hathras pic.twitter.com/SO8MEigkba
પેન્ટ સૂટમાં સિંહાસન પર બેસીને ઉપદેશ
નારાયણ સાકર હરિ તરીકે જાણીતા સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબા અન્ય સંતો કરતા સાવ અલગ દેખાય છે. તેમની જીવનશૈલી પણ અન્ય સંતો સાથે મેળ ખાતી નથી. સામાન્ય રીતે સંતો ધોતી અને કુર્તા પહેરીને જોવા મળે છે પરંતુ આ એવા સંત છે જે હંમેશા સફેદ રંગના પેન્ટ અને શર્ટમાં જોવા મળે છે. સિંહાસન પર બેસીને ઉપદેશ આપે છે. ભોલે બાબાના અનુયાયીઓ મોટે ભાગે ગુલાબી શર્ટ-પેન્ટ અને સફેદ કેપ પહેરે છે. ભોલે બાબાના માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ મોટી સંખ્યામાં અનુયાયીઓ છે. જ્યાં પણ તેમનો સત્સંગ થાય છે.
नारायण साकार हरि की सम्पूर्ण ब्रह्मांड में सदा - सदा के लिए जय जयकार हो pic.twitter.com/lp4wTmaHal
— Akhilesh Yadav (@yadavakhilesh) January 3, 2023
ભોલે બાબાનો સત્સંગ પશ્ચિમ યુપીના વધુ પ્રખ્યાત
ભોલે બાબાનો આ સત્સંગ પશ્ચિમ યુપીના લોકોમાં વધુ પ્રખ્યાત છે. ભોલે બાબાનો સત્સંગ અવારનવાર પશ્ચિમી જિલ્લાઓમાં જોવા મળે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપે છે. આજે ભોલે બાબાના લાખો અનુયાયીઓ છે.
વધુ વાંચો : લાખોની ભીડ, ગરમી-બફારાને કારણે શ્વાસ રુધાંતા ટપોટપ લાશો પડી, 122 મોતનું ખૌફનાક કારણ
કેવી રીતે બની ટ્રેજેડી
ફુલરાઈ ગામમાં બાબા ભોલેના સત્સંગ ચાલી રહ્યો હતો. સત્સંગ કરાવનાર બાબા સ્થાનિક સ્તરે ખૂબ લોકપ્રિય છે અને તેમના કાર્યક્રમમાં ધાર્યા કરતાં વધારે લગભગ સવા લાખ લોકોની ભીડ આવી હતી. ગરમી અને બફારાને કારણે લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. સત્સંગ પૂરો થયા પછી જ્યારે લોકો બહાર જવા માટે ઉભા થયા તો તે બેભાન થઈને પડવા લાગ્યો. જેના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં 122થી વધુ લોકોના મોત થયાં છે અને હજુ આંકડો વધી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.