બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / રૂ. 5 કરોડની રોકડ, 1 કરોડથી વધુ કિંમતનું સોનું, મનસુખ સાગઠીયાની તપાસમાં મોટો ઘટસ્ફોટ
Last Updated: 12:34 PM, 2 July 2024
રાજકોટમાં ભ્રષ્ટ અધિકારી મનસુખ સાગઠીયાની ઓફીસમાં SIT દ્વારા તપાસ હાથ ધરી હતી. 150 ફૂટ રિંગ રોડ પરની ઓફીસનું સીલ તોડી SIT એ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન એસઆઈટીને રૂપિય 5 કરોડની રોકડ મળી હતી. તેમજ એક કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું હતું. ત્યારે તપાસમાં હજુ પણ ખુલાસા થાય તેવી શક્યતાઓ છે.
ADVERTISEMENT
તપાસ દરમ્યાન કરોડો રૂપિયા તેમજ સોનું મળી આવ્યું
ADVERTISEMENT
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ક્લાસ વન તરીકે ફરજ બજાવતા તત્કાલીન ટીપીઓ સામે રાજકોટ એસીબી કચેરીમાં ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ એસીબીની ટીમ દ્વારા તાત્કાલીક એસીબીની ટીમ દ્વારા રાજકોટનાં 150 ફૂટ રીંગ રોડ પર આવેલ સાગઠીયાની ઓફીસ ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એસીબી દ્વારા ઓફીસનું સીલ ખોલી તેમાં તપાસ હાથ ધરતા ઓફીસમાંથી 5 કરોડ રૂપિયા રોકડા તેમજ કરોડોની કિંમતનાં સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. તેમજ એસીબીને 3 જેટલા બોક્સમાંથી સોનું, રૂપિયા તેમજ અનેક અગત્યનાં દસ્તાવેજો મળી આવ્યા હતા. ત્યારે તપાસમાં હજુ પણ અનેક ખુલાસા થવાની શક્યતા છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.