બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:20 PM, 26 June 2024
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી દિવસે દિવસે વધી રહી છે. હવે દારૂ કૌભાંડ કેસમાં ફરી એકવખત મોટો ઝટકો લાગ્યો છે. દારુ કૌભાંડ કેસમાં હવે અરવિંદ કેજરીવાલની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. CBI એ તેની પાંચ દિવસની કસ્ટડી માંગી હતી, પરંતુ કોર્ટે કસ્ટડીની અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને 3 દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલી દીધા છે. કેજરીવાલે સુનાવણી દરમિયાન કોર્ટને કહ્યું હતું કે મીડિયામાં સીબીઆઈના સૂત્રોને ટાંકીને બતાવવામાં આવી રહ્યું છે કે મેં એક નિવેદનમાં સમગ્ર દોષ મનીષ સિસોદિયા પર નાખ્યો છે, મેં એવું કોઈ નિવેદન નથી આપ્યું કે સિસોદિયા દોષિત છે કે અન્ય કોઈ દોષિત છે. મેં કહ્યું છે કે સિસોદિયા નિર્દોષ છે, આમ આદમી પાર્ટી નિર્દોષ છે, હું નિર્દોષ છું.
ADVERTISEMENT
#WATCH | Delhi CM and AAP National Convenor Arvind Kejriwal taken from the Rouse Avenue Court in Delhi.
— ANI (@ANI) June 26, 2024
The Court has sent him to a 3-day CBI remand in connection with the Excise policy case. pic.twitter.com/c5cLt4Z0Ou
ADVERTISEMENT
અરવિંદ કેજરીવાલે કહ્યું કે CBI ની આખી યોજના મીડિયાની સામે અમને બદનામ કરવાની છે. આ બધી બાબતો સીબીઆઈના સૂત્રો દ્વારા મીડિયામાં ફેલાવવામાં આવી છે. કેજરીવાલે એવો પણ દાવો કર્યો હતો કે સીબીઆઈ આ મામલાને સનસનાટી મચાવી રહી છે. તેમણે કહ્યું કે આ અંગે સ્પષ્ટતા થવી જોઈએ. તેમનો હેતુ મામલાને સનસનાટી મચાવવાનો છે. સીબીઆઈના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે તેમણે તથ્યોના આધારે દલીલ કરી હતી અને એજન્સીના કોઈ સ્ત્રોતે કંઈ કહ્યું નથી.
વધુ વાંચો : 'મેં આવું કોઇ નિવેદન નથી આપ્યું કે...', મનીષ સિસોદિયાને લઇ CBIએ કરેલા દાવાઓનું કેજરીવાલે કર્યું ખંડન
કેજરીવાલની કસ્ટડીની માંગણી કરતી અરજીમાં સીબીઆઈએ કોર્ટને કહ્યું કે આ કેસમાં મોટા ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે તેમની પૂછપરછ કરવી પડશે. દિલ્હીના મુખ્યમંત્રીને પુરાવા અને અન્ય આરોપીઓ સમક્ષ રજૂ કરવામાં આવનાર છે. સીબીઆઈએ કહ્યું કે અમારે તેની કસ્ટડીમાં પૂછપરછ કરવાની જરૂર છે. તે કહે છે કે વિજય નાયર આતિશી અને સૌરભ ભારદ્વાજની નીચે કામ કરતો હતો. તે તમામ દોષ મનીષ સિસોદિયા પર નાખી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.