બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / 1 જુલાઈથી લાગુ થશે ત્રણ નવા ફોજદારી કાયદા, કેવી જોગવાઈ, શું દંડ, એક ક્લિકમાં જાણો વિગત
Last Updated: 08:40 PM, 29 June 2024
અંગ્રેજો વખતના કાયદામાં 1 જુલાઈથી ધરખમ ફેરફાર થવાં જઈ રહ્યા છે. ગુલામીની તમામ નિશાનીઓનો અંત લાવવાના હેતુથી અંગ્રેજો દ્વારા ઘડવામાં આવેલા અને બ્રિટિશ સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા ભારતીય દંડ સંહિતા 1860, ફોજદારી કાર્યરીતિ સંહિતા 1898, 1973 અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872ને રદ કરીને 3 નવા બિલ લાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ભારતીય દંડ સંહિતા
જેમાં હવે ભારતીય દંડ સંહિતાનું સ્થાન ભારતીય ન્યાય સંહિતા લેશે, ફોજદારી કાર્યરીતિ સંહિતાનું સ્થાન ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા લેશે અને ભારતીય પુરાવા અધિનિયનું સ્થાન ભારતીય સાક્ષ્ય વિધેયક લેશે. આ ત્રણ કાયદા બ્રિટિશ શાસનને મજબૂત અને સુરક્ષિત કરવા માટે બનાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાતમાં કોલેરાનો ઊથલો, જામનગરમાં માસૂમનું મોત, બીજી બાજુ વધુ એક શહેર કોલેરાગ્રસ્ત જાહેર
અધિકારોનું રક્ષણ
જેનો હેતુ ન્યાય આપવાનો નહીં પણ સજા કરવાનો હતો. હવે આ ત્રણ નવા કાયદાઓનો આત્મા બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને આપવામાં આવેલા તમામ અધિકારોનું રક્ષણ કરવાનો રહેશે, અને તેમનો હેતુ સજા કરવાનો નહીં પરંતુ ન્યાય આપવાનો રહેશે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.