બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઇન્ડિયા ક્યારે રિટર્ન ફરશે? સામે આવી બાર્બાડોસના ચક્રવાતને લઇ મોટી અપડેટ, જુઓ Video
Last Updated: 10:24 AM, 2 July 2024
ભારતીય ક્રિકેટ ટીમે 29 જૂન શનિવારના રોજ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો, પરંતુ અત્યાર સુધી ટીમનો કોઈ પણ ભારતીય ખેલાડી બાર્બાડોસ છોડી શક્યો નથી. આખી ટીમ અને ટ્રોફી હજુ પણ બાર્બાડોસમાં અટવાયેલી છે, કારણ કે ચક્રવાત બેરિલે બાર્બાડોસમાં ભારે વિનાશ સર્જ્યો હતો અને તેના કારણે એરપોર્ટ પણ બંધ કરવું પડ્યું હતું.
ADVERTISEMENT
Hurricane hits the Barbados with strong winds and rain. #TeamIndia and media from India stuck in Barbados as all flights cancelled #Barbados pic.twitter.com/FTaw3T43V7
— Ankita (@Cric_gal) July 2, 2024
ફાઈનલ મેચ સમાપ્ત થયાને 3 દિવસ થઈ ગયા છે, પરંતુ ટીમ ઈન્ડિયા હજુ પણ બાર્બાડોસમાં જ અટવાઈ છે. ચક્રવાત બેરીલના એલર્ટના કારણે બાર્બાડોસમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે ટીમ ઈન્ડિયા ભારત પરત ફરી શકતી નથી.
ADVERTISEMENT
#HurricaneBeryl unleashed powerful winds over the Eastern Caribbean, downing power lines and ripping roofs from buildings. The hurricane is expected to bring 3 to 6 inches (8 to 15 cm) of rain across Barbados and the Windward Islands throughout the day. pic.twitter.com/uJVv7STqlV
— DD News (@DDNewslive) July 2, 2024
હવે એક નવું અપડેટ આવ્યું છે કે વાવાઝોડાને કારણે બાર્બાડોસમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ભારતીય ટીમના ખેલાડીઓએ પોતપોતાના સોશિયલ મીડિયા પર આ અંગેના લેટેસ્ટ ફોટો-વિડિયો અપલોડ કર્યા છે.
આ ચક્રવાતને કારણે ટીમ ઈન્ડિયા મંગળવારે પણ પરત ફરવાની નથી. જો કે હવે ટીમ ઈન્ડિયાના ટ્રાવેલિંગ શેડ્યૂલ સાથે જોડાયેલા સારા સમાચાર સામે આવ્યા છે. બાર્બાડોસના સમય મુજબ 2 જુલાઈ, મંગળવારે ભારતીય ટીમ બાર્બાડોસથી નવી દિલ્હી માટે રવાના થઈ શકે છે. એટલે કે ભારતીય સમય મુજબ ટીમ ઈન્ડિયા 3 જુયાળી સાંજ સુધી ભારત પરત ફરી શકે છે.
સાથે જ એમ પણ જાણવા મળ્યું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પોતાની ટીમની વાપસી માટે એક ખાસ ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરી છે, જેના કારણે બુધવારે ભારતીય ટીમની ભારત પરત ફરવાની શક્યતા વધી ગઈ છે.
બાર્બાડોસની હોટેલ હિલ્ટનમાં ફસાયેલી ટીમ ઈન્ડિયા તોફાની પવન અને ભારે વરસાદને કારણે બહાર આવી શકી નથી. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ સોશિયલ મીડિયા પર આ અંગે સતત અપડેટ્સ પોસ્ટ કરી રહ્યા છે. વર્લ્ડ કપ ફાઈનલમાં કેચ લઈને મેચ બદલી નાખનાર સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના સ્ટોરી સેક્શનમાં એક વીડિયો પણ અપલોડ કર્યો છે, જેમાં દરિયા કિનારે અત્યંત જોરદાર તોફાની પવનો દેખાઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
World Champion Team India Returns / વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનું હોટલ પર કરાયું જોરદાર સ્વાગત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.