બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / આ મંદિરમાં સૂર્યનું પહેલું કિરણ પડે છે હનુમાનજી ઉપર, ટેકરી પર ત્રેતા યુગથી બજરંગબલી સ્વયંભૂ પ્રગટ
Last Updated: 06:30 AM, 2 July 2024
ઓલપાડ તાલુકાના કપાસી ગામે મહાવીર હનુમાનદાદાનું પ્રાચીન મંદિર આવેલું છે હનુમાનજીના કપિસ નામ પરથી ગામનું નામ કપાસી પડેલુ છે દર શનિવારે મોટી સંખ્યામાં ભક્તો હનુમાનદાદાના દર્શન કરવા આવે છે. વહેલી સવારે ભગવાન સૂર્યદેવનું પ્રથમ કિરણ હનુમાનજી પર પડે છે. હનુમાન જયંતીનાં દિવસે મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.
ADVERTISEMENT
હનુમાનજી સ્વયંભુ પ્રગટ થયા હતા
ADVERTISEMENT
ઓલપાડથી 12 કિમી દુર આવેલા કપાસી ગામમાં ટેકરી પર હનુમાનજીનું મંદિર આવેલુ છે. આ ઐતિહાસિક મંદિરમાં હનુમાનજી સ્વયંભુ પ્રગટ થયા હતા.યજ્ઞકાર્ય સમયે બ્રાહ્મણોનુ રક્ષણ અને સ્વામીની આજ્ઞાનું પાલન થાય તે માટે હનુમાનજી ઉંચા ટેકરા પર સ્થાયી થયા અને યજ્ઞકાર્ય પૂર્ણ થતા તેમની સેવાથી પ્રસન્ન થઈ શ્રી રામચન્દ્રજીએ હનુમાનજીને આશીર્વાદ આપ્યા હતા તે સમયથી હનુમાનજીનો અહિં વાસ છે. ઓલપાડના કપાસી ગામે ટેકરી પર ત્રેતા યુગમાં હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા હતા અને મહાવીર હનુમાનજી તરીકે ઓળખાયા હતા. હનુમાનજીની કૃપાથી કપાસી ગામ હંમેશા સુખી સંપન્ન છે કોરોનાકાળમાં કપાસી ગામના એક પણ વ્યકિતને કોરોના થયો નહોતો તેને ગ્રામજનો હનુમાનજીના આશીર્વાદ માને છે.
હનુમાન દાદાના અનેક પરચા છે
કળીયુગમાં કપાસી ગામે સાક્ષાત બિરાજમાન મહાવીર હનુમાન દાદાના અનેક પરચા છે. અનેક ભાવિકોની માનતા દાદાના મંદિરે પૂર્ણ થઇ છે. મંગળવાર અને શનિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હનુમાન દાદાના દર્શન કરવા માટે આવે છે. અને નવી શક્તિના સંચાર સાથે ઘરે પરત ફરે છે.
સૂર્યદેવનુ પ્રથમ કિરણ પણ હનુમાનજી પર પડે છે
કપાસીમાં ભગવાન સૂર્યદેવનુ પ્રથમ કિરણ પણ હનુમાનજી પર પડે છે એટલે કપાસી ગામે ગુરુ શિષ્યનો મિલાપ થાય છે.કપાસી ગામના લોકો પર હનુમાન દાદાના ભરપુર આશીર્વાદ છે.હનુમાનજી મંદિરની મૂર્તિ યુગો પુરાણી છે. આ સ્થાન પર હનુમાજીનો પ્રભાવ સવિશેષ પ્રમાણમાં છે. જે ભાવિકોને મનોવાંછિત ફળ આપે છે. કપાસી અને આજુબાજુના ગામના લોકો પણ હનુમાનજીના દર્શન કરવા નિયમિત દાદાના મંદિરે આવે છે અને હનુમાનજીદાદા તેમના પર સદાય આશીર્વાદ વરસાવી તેમનુ રક્ષણ કરે છે એટલે જ મંદિરે આવતા દરેક ભાવિકોની દાદા પર અતૂટ શ્રદ્ધા અને આસ્થા છે
વાંચવા જેવું: અમદાવાદમાં આવેલું છે અડગ આસ્થાનું ધામ એવું કૈલાદેવી મંદિર, સાડી ચડાવવાની પરંપરા, સેવાની વહે છે સરવાણી
કપાસી ગામનું નામ પણ હનુમાનજીના નામ કપીસ પરથી જ પડેલુ છે. જે હાલ પાવનધામ કપાસી નામથી ઓળખાય છે. હનુમાનજીનુ મંદિર દરિયા કિનારાના મંદિર તરીકે પણ પ્રચલિત છે. અને હનુમાનજીની પાવન મૂર્તિના દર્શન અલૌકિક છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.