બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ હિટમેન IPL રમશે કે નહીં? રોહિત શર્માએ કર્યો ખુલાસો
Last Updated: 11:21 AM, 1 July 2024
T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી રોહિત શર્માએ નિવૃત્તિ લઈ લીધી છે. રોહિતે 2007 T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું અને હવે T20 વર્લ્ડ કપ જીત્યાના 17 વર્ષ બાદ રોહિતે રિટાયરમેન્ટની જાહેરાત કરી છે. રોહિતના નામે આ ફોર્મેટમાં સૌથી વધુ રન, સૌથી વધુ સિક્સ અને સૌથી વધુ સદી છે.
ADVERTISEMENT
Captain Rohit Sharma said ,"I had not thought of retiring from T20I at this time, but the kind of situation has come, I thought it is the perfect situation for me to say goodbye to T20I and yes, I will 100% play IPL". pic.twitter.com/isIQcdq5Zb
— Vishal. (@SPORTYVISHAL) June 30, 2024
આ જીત બાદ સૌથી પહેલા વિરાટ કોહલીએ T-20 ઈન્ટરનેશનલમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી અને આના થોડા સમય બાદ રોહિત શર્માએ પણ પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની જાહેરાત કરી હતી. એટલું જ નહીં તાજેતરમાં જ રવિન્દ્ર જાડેજાએ પણ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
રોહિત શર્માએ રિટાયરમેન્ટના નિર્ણય અંગે ચોંકાવનારી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે ટી20માંથી નિવૃત્તિ લેવાનો તેનો કોઈ ઈરાદો નથી પરંતુ સંજોગો એવા બન્યા કે તેણે નિવૃત્તિ જાહેર કરી દીધી. ભારતીય ટીમે T20 વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ટીમ ઈન્ડિયા માટે આ તેની છેલ્લી T20 ઈન્ટરનેશનલ મેચ હતી. કેપ્ટને કહ્યું કે આ ફોર્મેટને અલવિદા કહેવાનો આ સારો સમય છે. આ મને જોઈતું હતું, મને કપ જોઈતો હતો અને મને તે મળી ગયો.
Rohit Sharma: "I was not in the mood to retire from T20I, but the situation has arisen, so I decided to do so."🥺
— Saurabh kumar (@Saurabhk0096) June 30, 2024
Is he targeting Gambhir? Perhaps he is thinking of building a new team. He might have thought of retiring on his own.
But definitely play IPL ❤
Champions Trophy pic.twitter.com/ljZds2zKbd
રોહિત શર્માએ કહ્યું વાતચીત દરમિયાન કહ્યું, 'મેં વિચાર્યું ન હતું કે હું T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈશ પરંતુ સ્થિતિ આવી બની. મને લાગ્યું કે નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે. વર્લ્ડકપ જીત્યા પછી અલવિદા કહેવાથી વધુ સારું બીજું કંઈ ન હોઈ શકે. જો કે હું ચોક્કસપણે IPL રમવાનું ચાલુ રાખીશ.'
રોહિત શર્મા હાલમાં એકમાત્ર ભારતીય ખેલાડી છે જેણે તમામ T20 વર્લ્ડ કપ રમ્યા છે. તે 2007 T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ હતો. ત્યાર બાદ હવે 2024માં તેની કેપ્ટનશીપમાં ટીમે આ ટૂર્નામેન્ટ જીતી હતી. રોહિત શર્માએ તેની કારકિર્દીમાં કુલ 159 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી અને 4231 રન બનાવ્યા. આ ફોર્મેટમાં તેના નામે સૌથી વધુ 5 સદીનો રેકોર્ડ પણ છે. રોહિતે ટી20 ઈન્ટરનેશનલમાં કુલ 32 અડધી સદી પણ ફટકારી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
શેર નહીં 'બબ્બર શેર' / જેને રૂપિયા રોક્યા તે થયા માલામાલ, એક દિવસમાં 1300 રૂપિયા ચઢી ગયો આ શેર
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT