બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / સોનાક્ષી સિન્હાએ 3 શબ્દો લખી ટ્રોલર્સને જડ્યો તમાચો, લોકો બીજા ધર્મમાં લગ્નને લઈ મારતા હતા ટોણાં
Last Updated: 04:18 PM, 28 June 2024
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નને આજે છ દિવસ થઈ ગયા છે. લગ્ન બાદ સોશિયલ મીડિયા પર સોનાક્ષી અને ઝહીરના લગ્નના ઈનસાઈડ વીડિયો અને ફોટોઝ સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે એક એવી વસ્તુ છે જે લોકોના મગજમાં ખટકી રહી છે. તે છે સોનાક્ષીના બીજા ધર્મમાં લગ્ન કરવા. પરંતુ હવે એક્ટ્રેસે બીજા ધર્મમાં લગ્ન કરવાને લઈને ટ્રોલ કરતા લોકોને જોરદાર તમાચો માર્યો છે.
ADVERTISEMENT
બેસ્ટ એવર ડિસીઝન
ADVERTISEMENT
સોનાક્ષીએ સોશિયલ મીડિયા પર પોતાના કોર્ટ મેરેજ સેરેમનીના ઈનસાઈડ વીડિયો શેર કર્યા છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતા એક્ટ્રેસે લાંબી ચોસ્ટ કરી દીધી છે અને પોતાના આ લગ્નના નિર્ણયને જીવનનો સૌથી બેસ્ટ નિર્ણય ગણાવ્યો છે.
એક્ટ્રેસે સેમ અને એકતા નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલને ટેગ કર્યુ અને લખ્યું કે અમે લોકો ઘણા મિત્રોના લગ્નમાં મળ્યા છીએ. આ લોકોએ લગ્નના દરેક પલને એટલી સુંદરતાથી દર્શાવી છે કે અમે તેમને વચન આપ્યું હતું કે જ્યારે પણ હું અને ઝહીર લગ્ન કરીશું તો તેમને જ જવાબદારી સોંપીશું. આ અમારૂ બેસ્ટ એવર ડિસીઝન હતું.
વધુ વાંચો: શેફાલી વર્માની ડબલ સેન્ચ્યુરી, સૌથી ઝડપી શતક લગાવી રચ્યો ઈતિહાસ, મંધાનાના પણ 149 રન
સોનાક્ષીએ બેસ્ટ એવર ડિસીઝન રેડ કલરના બોક્સમાં હાઈલાઈટ કરીને શો કર્યું છે. જેનાથી એ તો હિંટ મળી ગઈ કે તે એક પોસ્ટથી બે તીર ચલાવી રહી છે. અને તે બીજુ તીર ટ્રોલર્સ માટે છે જે બીજા ધર્મમાં લગ્ન કરવા માટે તેમને ટ્રોલ કરી રહ્યા છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.