બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM કિસાન યોજના: ગુજરાતના 2.62 લાખ ખેડૂતોના નામ રદ કરાયા, કારણ ચોંકાવનારું
Last Updated: 07:19 PM, 28 June 2024
કેન્દ્ર સરકારની PM કિસાન સન્માનિધિ યોજનાનો લાભ લેતા ખેડૂતોમાંથી ગુજરાતના 2.62 લાખ ખેડૂતોની બાદબાકી કરાઈ છે. PM કિસાન સન્માનિધિ યોજનામાં ખેડૂતને દર વર્ષે 6 હજાર રૂપિયાની સહાય ચુકવવામાં આવે છે. ત્યારે કેટલાક ખેડૂતો પાત્રતા ન હોવા છતા આ યોજનાનો ખોટી રીતે લાભ લેતા હતા તેવા ખેડૂતોની બાદબાકી કરાઈ છે.
ADVERTISEMENT
PM કિસાન સન્માન નિધિ યોજનામાં બાદબાકી!
ADVERTISEMENT
રાજ્યના 2.62 લાખ ખેડૂતોને સહાય આપવાની યાદીમાંથી નામ રદ કરવામાં આવ્યા છે. જેમાં કેટલાક ખેડૂતો ઈન્કમ ટેક્સ રિટર્ન ભરતા હતા છતાં લાભ લેતા હતા. તો કેટલાક ખેડૂત તરીકે પતિ-પત્ની બંને સહાય મેળવતા હતા. જે ઉપરાંત કેટલાક ખેડૂતોને પેન્શન મળતું હોવા છતાં યોજનાનો હપ્તો મેળવતા હતા.
આ પણ વાંચો: બોટાદમાં વાહનો ફસાયા, તો ઉપલેટાના ડેમમાં આવ્યાં નવા નીર, હવે ગુજરાતભરમાં જામ્યું ચોમાસું
રૂપિયા રિકવર કરાશે
આ સિવાય મૃત્યુ પામેલા હોવા છતા તેમની નામે લાભ લેવાતા હોવાની પણ વિગતો સામે આવી છે. જે ખેડૂતોએ ખોટી રીતે યોજનાનો લાભ લીધો છે તેવા ખેડૂતો પાસેથી રૂપિયા રિકવર કરવામાં આવશે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.