બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:44 PM, 30 June 2024
સમાજમાં અનેક લોકોએ એવા હોય છે, જેમને કોઈને ઉધાર પૈસા આપ્યા હોય અને તેમના પૈસા પછી પરત નથી મળતા. અમુક કિસ્સામાં આ ઉધાર આપેલા પૈસા પરત મળશે તેવી આશા પણ છોડી દેવામાં આવે છે. તેના કારણે ઉધાર આપનાર વ્યક્તિને કંગાળ થવાનો પણ વારો આવતો હોય છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં આ સમસ્યાનો પણ ઉકેલ જણાવામાં આવ્યો છે. તે ઉપાય કરવાથી ગમે તેટલા જૂના પૈસા અટકી પડ્યા હોય તો પણ તે પરત મળે છે. આજે તે ઉપાય વિશે જાણવાનો પ્રયાસ કરીશું.
ADVERTISEMENT
માતા લક્ષ્મીનો ઉપાય
જો તમારા પૈસા લાંબા સમય સુધી અટકી પડ્યા છે અને તે પૈસા પરત મળશે તેવી આશા પણ છૂટી ગઈ હોય તો માતા લક્ષ્મીનો ઉપાય કરવો. તેના માટે માતા લક્ષ્મી સામે પૈસા પરત મળે તેવી પ્રાર્થના કરવી. પૂજાના સમયે પીળી કોડી (cowrie) માતા લક્ષ્મીને અર્પણ કરો. બાદમાં તેને લાલ કપડાંમાં બાંધીને ત્યા રાખી દો જ્યાં તમે ધન રાખતા હોય.
ADVERTISEMENT
હનુમાન ભગવાનનો ઉપાય
હનુમાન ભગવાન દરેક કષ્ટને દૂર કરે છે. મંગલવારને હનુમાન ભગવાનનો વાર માનવામાં આવ્યો છે. આથી મંગળવારે હનુમાન ભગવાનની પૂજા વખતે સરસવના તેલનો દીપક પ્રગટાવો. આ ઉપાય કરવાથી અટકેલા પૈસા પરત મળે છે.
આ પણ વાંચોઃ રાહુના કારણે જિંદગી થઈ ગઈ છે મુશ્કેલ ? ગોમેદ ધારણ કરવાથી મળશે શુભ પરિણામ, જાણો વિધિ
આ રીતે પણ પરત મળે છે પૈસા
જો તમે કોઇને પૈસા ઉધાર આપ્યા હોય અને તે પરત ના કરતો હોય તો આ ઉપાય પણ કારગર નિવડે છે. જેમાં તમારે દરરોજ સાંજના સમયે એક દીપક પ્રગટાવવો. આ દીપકને કપૂર અને બે લવિંગ નાખીને પ્રગટાવો. આ ઉપાય કરવાથી લાંબા સમયથી રોકાયેલા પૈસા પરત મળે છે.
Disclaimer: અહીંયા આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. VTV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતુ
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT