બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Health / આરોગ્ય / ભારતીયો માટે ઘાતક ન્યૂઝ! અડધી વસ્તી ફિજિકલ અનફીટ, ડરામણો છે આ સ્ટડી રિપોર્ટ
Last Updated: 07:28 PM, 26 June 2024
લેન્સેટ દ્વારા તાજેતરના અભ્યાસમાં જણાવાયું છે કે ભારતીય વસ્તીના 50 ટકાથી વધુ લોકો શારીરિક રીતે ફિટ નથી. લેસેન્ટના અભ્યાસમાં ભારતીયોના શારીરિક અનફિટ હોવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને કહ્યું છે કે તે દિવસ દૂર નથી જ્યારે ભારતીય વસ્તીના 60 ટકાથી વધુ લોકો શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે થતી સમસ્યાઓનો શિકાર બનશે. ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત આ અભ્યાસ જણાવે છે કે ભારતની અડધાથી વધુ વસ્તી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા નિર્ધારિત પર્યાપ્ત શારીરિક પ્રવૃત્તિના માર્ગદર્શિકાને પૂર્ણ કરવામાં સક્ષમ નથી.
ADVERTISEMENT
લેન્સેટ અભ્યાસ શું કહે છે?
લેન્સેટ અભ્યાસ જણાવે છે કે ભારતીય મહિલાઓ પુરુષો કરતાં શારીરિક રીતે વધુ અનએક્ટિવ છે. પુરુષોમાં ફિજિકલ ઇન એક્ટિવિટી 42 ટકા છે, જ્યારે આ બાબતે મહિલાઓની ટકાવારી 57 ટકા છે. આનો સ્પષ્ટ અર્થ છે કે ભારતીય મહિલાઓ ફિજિકલી એક્ટિવ રહી શકતી નથી.
ADVERTISEMENT
અભ્યાસ કહે છે કે 2000માં દેશમાં અપૂરતી શારીરિક પ્રવૃત્તિ 22.3 ટકા હતી, તે 2022માં વધીને 49 ટકાથી વધુ થઈ ગઈ છે. આ એક સ્પષ્ટ સંકેત છે કે 2030 સુધીમાં ભારતની લગભગ 60 ટકા વસ્તી શારીરિક રીતે અનફિટ બની જશે અને શારીરિક રીતે સક્રિય ન હોવાને કારણે થતા રોગોનો ભોગ બનવાનું શરૂ થશે.
ચિંતા કરવાના કારણો
સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો તંદુરસ્ત રહેવા માટે દરરોજ શારીરિક રીતે સક્રિય રહેવું મહત્વપૂર્ણ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સ્વસ્થ રહેવા માટે દર અઠવાડિયે 150 થી 300 મિનિટની શારીરિક પ્રવૃત્તિની ભલામણ કરે છે. જો કોઈ વ્યક્તિ 150 મિનિટની મધ્યમ પ્રવૃત્તિ ન કરે તો તેણે 70 મિનિટની તીવ્ર પ્રવૃત્તિ કરવાની જરૂર છે.
વધુ વાંચોઃ Video / સંસદ ભવનમાં ચિરાગ અને કંગનાની હટકે કેમિસ્ટ્રી, જોઈ સૌ કોઈ રહી ગયા દંગ
તેનો અર્થ એ કે, એકંદરે સારા સ્વાસ્થ્ય માટે દરરોજ શારીરિક પ્રવૃત્તિ કરવી મહત્વપૂર્ણ છે. WHOનું કહેવું છે કે જો શારીરિક પ્રવૃત્તિ ન કરવામાં આવે તો શરીરને હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગો તેમજ ડાયાબિટીસ ટાઈપ 2, ડિમેન્શિયા અને કેન્સર જેવા રોગોનું જોખમ રહે છે. શારીરિક પ્રવૃત્તિના આ અભ્યાસ માટે લેન્સેટે 195 દેશોનો અભ્યાસ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન, શારીરિક પ્રવૃત્તિ અને અયોગ્ય સ્વાસ્થ્યના સંદર્ભમાં ભારત વિશ્વમાં 12મા સ્થાને છે.
(Disclaimer:સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.