બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / રાજકોટમાં ફાયર NOCને લઈ વેપારીઓ પરેશાન, અધિકારીઓ જેલમાં ગયા બાદ કામગીરી ખોરંભે પડી
Last Updated: 09:34 PM, 28 June 2024
ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા તો વાગ્યા પરંતુ હવે તે તબેલાનો શું ? રાજકોટમાં અગ્નિકાંડ થયા બાદ હવે ફાયર વિભાગની ઓફિસ ખાલીખમ થઈ ગઈ છે કેમ કે મોટા ભાગના અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. જેને લઈ ફાયર NOC મુદ્દે રાજકોટમાં નાના ધંધાવાળા પરેશાન થઈ ગયા છે.
ADVERTISEMENT
નિર્ણય લેનારૂ કોઈ રહ્યું નથી ?
ADVERTISEMENT
અધિકારીઓ અગ્નિકાંડમાં જેલમાં ગયા પછી નિર્ણય લેનારૂ કોઈ રહ્યું નથી ત્યારે લાખો રૂપિયાનું રોકાણ કરીને ઉભા કરેલા ધંધા પર અસમંજસ થઈ રહી છે. ઓફિસ, દુકાન કે ફેક્ટરીની ફાયરની NOC માટે અરજી કરી પણ નિર્ણય લેનારૂ કોઈ નહી હોવાથી ધંધાર્થીઓ ટેન્શનમાં આવી ગયા છે.
લોન પર ધંધા કરતા ધંધાદારીઓને વ્યાજના ચક્કરમાં ફસાવાનો ડર સેવી રહ્યાં છે. ફીક્સ ખર્ચ વધતા જાય છે અને ધંધાનું ટર્નઓવર બંધ છે જેને લઈ મુશ્કેલીમાં મુકાયા છે.
ટેબલ પર ધૂળ ખાતી અરજીઓ
મહાનગરપાલિકામાં અગ્નિકાંડ થયા પછી નિર્ણય કોણ લે તે સૌથી મોટો સવાલ છે. રાજકોટ મહાનગરપાલિકામાં રોજે 100થી વધુ ફાયર NOCની અરજીઓ આવે છે ત્યારે ટેબલ પર ધૂળ ખાતી અરજીઓ વિશે નિર્ણય લેનારૂ કોઈ નથી અને નાગરિકોની પરેશાની વધતી જાય છે. સમગ્ર મામલે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી નૌતમ પટેલનું નિવેદન સામે આવ્યું છે.
આ પણ વાંચો: પૂર્ણેશ મોદીએ નડ્ડા-શાહ સાથે કરી મુલાકાત, પ્રદેશ ભાજપ પ્રમુખની વરણીને લઈ ગુજરાતમાં હિલચાલ શરૂ
નૌતમ પટેલે શું કહ્યું ?
નૌતમ પટેલે જણાવ્યું કે, અગ્નિકાંડ બાદ મનપામા જવાબદારીની ફેકા ફેંકી થઈ રહી છે. અમે મનપા કમિશનર અને રાજ્ય સરકારને રજૂઆત કરીશું અને હાલ રાજકોટ કોર્પોરેશનના ફાયર વિભાગમાં પૂરતો સ્ટાફ નથી. દરરોજ ફાયર એનઓસી માટે વેપારીઓ અનેક અરજીઓ કરી રહ્યા છે. વધુમાં કહ્યું કે, પૂરતો સ્ટાફ ન હોવાના કારણે ફાયર એનઓસી મેળવવામાં મુશ્કેલી છે. સરકારે તાત્કાલિક નવા ફાયર ઓફિસરની નિમણૂક કરવી જોઈએ. હાલ ફાયર એનઓસીના કારણે અનેક વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.