બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શાળા પ્રવેશોત્સવનો છેલ્લો પડાવ: CM ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરમાં બાળકોને અપાવ્યો પ્રવેશ, આપ્યો આ સંદેશ
Last Updated: 11:04 AM, 28 June 2024
સુરેન્દ્રનગરના થાન તાલુકાના સરોડી ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપી હતી.. અહીં પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં અને ધોરણ-1ના બાળકોને પ્રવેશ અપાયો હતો
ADVERTISEMENT
3 દિવસનો કાર્યક્રમ
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 26મીથી 28મી જૂનના 3 દિવસ દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાયો છે. ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ’ના વિષય સાથે યોજાયેલા આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મુખ્યમંત્રીએ 26મીના પ્રથમ દિવસે વનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ બિલિઆંબાની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવ્યુ હતું.
આ પણ વાંચોઃ પાટણ NSUI ડખો! આ રીતે પૈસાનો તોડ કરતાં હોવાનો ગંભીર આક્ષેપ, વોટ્સએપ ગૃપમાં ઉઘાડો પડ્યો કાંડ
આજે પ્રવેશોત્સવનો અંતિમ દિવસ
27મી જૂને એટલે કે પ્રવેશોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રી છોટાઉદેપુર તાલુકામાં હતા. જયારે આજે એટલે કે 28 તારીખે શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થયા. વિધાનસભા અધ્યક્ષ સહિત રાજ્યના મંત્રીઓ, IAS, IPS, IFS સહિત ૩૬૭ ઉચ્ચ અધિકારીઓએ વિવિધ સ્થળોએ ઉપસ્થિત રહી બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો..
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.