બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : પરોઢિયે કેદારનાથમાં બન્યું ખૌફનાક, શ્રદ્ધાળુઓનો વાળ વાંકો ન થયો, ભોળાનાથે બચાવ્યાં
Last Updated: 06:59 PM, 30 June 2024
ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથ ધામના દર્શને ગયેલા શ્રદ્ધાળુઓ એક અલભ્ય નજારાના દર્શન કર્યાં હતા. કેદારનાથ ખાતેના ગાંધી સરોવર પર હિમપ્રપાત થયો હતો અને આંખના પલકારામાં બરફનો આખો પહાડ નીચે ધસી આવ્યો હતો. બાબા ભોલેનાથની કૃપાથી કોઈનો વાળ પણ વાંકો ન થયો.
ADVERTISEMENT
VIDEO | Uttarakhand: An avalanche occurred over Gandhi Sarovar in Kedarnath. No loss of life and property was reported. More details are awaited. pic.twitter.com/yfgTrYh0oc
— Press Trust of India (@PTI_News) June 30, 2024
આખો બરફનો પહાડ ખીણમાં તૂટી પડ્યો
ADVERTISEMENT
ઘટના રવિવારની છે. જ્યારે આ ઘટના બની ત્યારે કેદારનાથ મંદિર પાસે કોઈએ તેને કેમેરામાં રેકોર્ડ કરી લીધો હતો. અહીં બરફથી ઢંકાયેલો પહાડ અચાનક તૂટી પડતો સ્પષ્ટ જોઈ શકાય છે. હિમાચ્છાદિત પર્વતમાં તિરાડ પડવાને કારણે ત્યાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. બધાની નજર ત્રાડ પહાડ પર ટકેલી હતી. આ ઘટના વિશે માહિતી આપતા રુદ્રપ્રયાગના SSP ડૉ. વિશાખા અશોક ભદાનેએ જણાવ્યું કે આ ઘટના સવારે 5 વાગ્યે બની હતી.
વધુ વાંચો : PICTURES : સૂર્યકુમાર યાદવ વર્લ્ડ કપ ટ્રોફી લઈને પત્ની દેવીશા સાથે સુતો, વાયરલ થઈ તસવીર
હિમપ્રપાત શું છે
ઘણી વખત વિવિધ કારણોસર પહાડો પર ઢંકાયેલો બરફ અચાનક ઝડપથી નીચેની તરફ પડવા લાગે છે. આ ઘટનાને હિમપ્રપાત કહેવામાં આવે છે. આ દરમિયાન ઝડપથી બરફ પડવાને કારણે જોરદાર અવાજ પણ આવે છે. ઘણી વખત આવી ઘટનાઓમાં ગૂંગળામણને કારણે લોકોના મોત થાય છે. ઉલ્લેખનીય છે કે કેદારનાથમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. પ્રથમ સપ્તાહમાં લગભગ 6 લાખ ભક્તો અહીં પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા. રુદ્રપ્રયાગ કલેક્ટરે કહ્યું કે 10 મેથી અત્યાર સુધીમાં 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથના દર્શ કરવા આવ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT