બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સ્પોર્ટસ / ભાવનગર / રાજકોટ / Cricket / ગુજરાતની શાન રવીન્દ્ર જાડેજાએ ટી20માંથી સન્યાસ લેતા PM મોદીએ કર્યું ટ્વિટ, કર્યા ઓલરાઉન્ડર વખાણ
Last Updated: 07:44 PM, 30 June 2024
ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય T20 ફોર્મેટને અલવિદા કહી દીધું છે. તે જ સમયે, હવે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિન્દ્ર જાડેજાના નિવૃત્તિ પર પોસ્ટ કર્યું છે. આ પોસ્ટમાં પીએમ મોદીએ રવિન્દ્ર જાડેજાના ખૂબ વખાણ કર્યા છે.
ADVERTISEMENT
Dear @imjadeja,
— Narendra Modi (@narendramodi) June 30, 2024
You have performed exceptionally as an all-rounder. Cricket lovers admire your stylish stroke play, spin and superb fielding. Thank you for the enthralling T20 performances over the years. My best wishes for your endeavours ahead.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટમાં લખ્યું છે - પ્રિય રવિન્દ્ર જાડેજા, તમે ઓલરાઉન્ડર તરીકે શાનદાર રમત બતાવી છે. તમારા સુંદર ચાહકો ઉપરાંત ક્રિકેટ ચાહકો તમારી સ્પિન બોલિંગ અને શાનદાર ફિલ્ડિંગના દિવાના છે. T20 ફોર્મેટમાં તમારા યોગદાન બદલ આભાર, તમારા ભવિષ્ય માટે શુભકામનાઓ.
ADVERTISEMENT
આ પહેલા રવિન્દ્ર જાડેજાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પોતાની નિવૃત્તિ વિશે માહિતી આપી હતી. આ પોસ્ટમાં તેણે લખ્યું, "ખૂબ કૃતજ્ઞતા સાથે, હું T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહી રહ્યો છું." મેં હંમેશા ગર્વથી દોડતા ઘોડાની જેમ મારા દેશ માટે 100 ટકા આપ્યું છે અને આપતો રહીશ... T20 વર્લ્ડ કપ જીતવું એ એક સ્વપ્ન સાકાર થયું છે, યાદો, ઉત્સાહ અને અતૂટ સમર્થન માટે આભાર.
વધુ વાંચોઃ 'જે લોકો મને 1 ટકા પણ નથી જાણતા..' હાર્દિક પંડયાની પોસ્ટ લોકોના ફરી દિલ જીતી લીધા
આ પહેલા T20 વર્લ્ડ કપ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામેની જીત બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ T20 ફોર્મેટને અલવિદા કહી દીધું હતું. જો કે હવે આ યાદીમાં રવિન્દ્ર જાડેજા પણ જોડાઈ ગયો છે. આ રીતે T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યા બાદ ભારતના ત્રણ મોટા ખેલાડીઓએ ફોર્મેટને અલવિદા કહી દીધું છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT