બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:23 PM, 30 June 2024
T20 વર્લ્ડ કપ જીતનારી ટીમ ઈન્ડીયા પર પૈસાનો વરસાદ થયો છે. હવે BCCIએ ટીમ ઈન્ડીયા માટે ખજાનો ખોલ્યો છે અને કરોડોનું ઈનામ જાહેર કર્યું છે. BCCI સચિવ જય શાહે વિજેતા ટીમ ઈન્ડીયાને 125 કરોડ રુપિયાના ઈનામની જાહેરાત કરી છે સાથે જય શાહ ટીમને અભિનંદન પણ પાઠવ્યાં હતા.
ADVERTISEMENT
I am pleased to announce prize money of INR 125 Crores for Team India for winning the ICC Men’s T20 World Cup 2024. The team has showcased exceptional talent, determination, and sportsmanship throughout the tournament. Congratulations to all the players, coaches, and support… pic.twitter.com/KINRLSexsD
— Jay Shah (@JayShah) June 30, 2024
જય શાહે પોતાની પોસ્ટમાં શું લખ્યું?
ADVERTISEMENT
જય શાહે પોસ્ટમાં લખ્યું, 'ટી-20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમ માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે. ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં અસાધારણ પ્રતિભા, નિશ્ચય અને ખેલદિલી પ્રદર્શિત કરી છે. આ અદ્ભુત સિદ્ધિ માટે તમામ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન.
વધુ વાંચો : હવે રવિન્દ્ર જાડેજાની પણ T20 ક્રિકેટને અલવિદા, કર્યું સંન્યાસનું એલાન
વર્લ્ડ કપ જીત બદલ મળ્યાં 20 કરોડ
ટીમ ઈન્ડીયાને ટી 20 વર્લ્ડ કપ જીતવા બદલ 20 કરોડનું ઈનામ મળ્યું છે પરંતુ અહીં તો બીસીસીઆઈએ તેને 125 કરોડ રુપિયાનું ઈનામ આપ્યું હતું.
ભારતીય ટીમે ચોથો ICC વર્લ્ડ કપ જીત્યો
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે. આ ટીમે ઇતિહાસમાં ચોથી વખત વર્લ્ડ કપ (ODI, T20)નો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે શનિવારે (29 જૂન) T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે બે વખત (1983, 2011) ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. જ્યારે તેણે માત્ર બે વખત (2007, 2024) T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ટીમે છેલ્લે 2011માં વર્લ્ડ કપ (ODIમાં) જીત્યો હતો. હવે 13 વર્ષ પછી કોઈએ વર્લ્ડ કપ (T20 માં) જીત્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT