બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:56 PM, 25 June 2024
ભારતીય ભોજનમાં હળદર મુખ્ય મસાલો છે. બધાના ઘરે હળદર તો સરળતાથી મળી જાય છે. હળદરના ગુણોનું આયુર્વેદમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હળદર સુંદરતાથી લઈને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ થાય છે. હળદરમાં એન્ટિસેપ્ટિક ગુણો હોય છે જેના કારણે તેનો દવા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. સવારે ખાલી પેટે હળદરવાળુ પાણી પીવુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. હળદરવાળુ પાણી પીવાથી મેદસ્વિતા ઘટે છે અને શરીર બેક્ટેરિયલ ઈન્ફેક્શન સામે લડવામાં સક્ષમ બને છે. તો અહીં જાણો ખાલી પેટે હળદરવાળુ પાણી પીવાના ફાયદા.
ADVERTISEMENT
હળદરવાળુ પાણી કેવી રીતે બનાવવું
હળદરવાળુ પાણી તૈયાર કરવા માટે તમે ફ્રેશ હળદરનો પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે હળદરનો એક ટુકડો લઈને પાણીમાં નાખીને આખી રાત પલાળી રાખો. સવારે આ પાણી પી લેવું. એક ગ્લાસ પાણીમાં 1/2 ટી સ્પૂન હળદર નાખીને આખીરાત પલાળીને છોડી દો અને સવારે તેને હુંફાળુ પાણી પી લેવું. સવારે ખાલી પેટે હળદરવાળુ પાણી પીવાથી ફાયદો થાય છે.
ADVERTISEMENT
હળદરવાળુ પાણી પીવાના ફાયદા
વજન ઘટાડવા માટે
ખાલી પેટે હળદરવાળુ પાણી પીવાથી મેદવસ્વિતા ઘટે છે. જે લોકો વજન ઘટાડવા માગે છે તે લોકો માટે હળદરવાળુ પાણી ફાયદાકારક હોય છે. તમે ઈચ્છો તો હળદરની સાથે પાણીમાં થોડો આદુનો પસ પણ મિક્સ કરી શકો છો. તેને ગરમ કરીને ચાની જેમ પી શકો છો. હળદરવાળુ પાણી હાર્ટ માટે ફાયદાકારક હોય છે.
સંધિવામાં રાહત
હળદરમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ હોય છે જે રૂમેટાઈડ આર્થરાઈટિસ ને આસ્ટિયોઆર્થરાઈટિસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. હળદરવાળુ પાણી પીવાથી સંધાના દુખાવાની સમસ્યાથી રાહત મળે છે. તેમાં એન્ટિએક્સિડન્ટ હોય છે જે શરીરના કોષોને ફ્રી રેડિકલ્સ થતા નુકસાનથી બચાવે છે. તેમજ હળદરવાળુ પાણી પીવાથી સોજામાં પણ રાહત મળે છે.
પાચન શક્તિ મજબૂત થાય છે
હળદરવાળુ પાણી પીવાથી પાચન સંબંધી સમસ્યાથી છૂટકારો મળે છે. હળદરમાં રહેલ કરકુમિન કમ્પાઉન્ડ ગોલબ્લેડર પિત્તને બહાર કાઢવામાં મદદ કરે છે, જેનાથી પાચનમાં મદદ મળે છે. તેમજ હળદરવાળુ પાણી પીવાથી લિવર ડિટોક્સીફાય થાય છે. તેનાથી ગેસ અને સોજાની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.